નેશનલ

નૈનીતાલમાં બસ અકસ્માત

મુસાફરોથી ભરેલી બસ ખાઇમાં પડતા 7 લોકોના મોત

દહેરાદૂનઃ ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઇમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલની મુલાકાતે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલા એક બાળક અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બાકીના મુસાફરોને શોધવા માટે ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે. કેટલાક લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. બસ કયા કારણોસર ખાડામાં પડી? આ હજુ સુધી જાણી શકાયું નથી. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલ મુસાફરોની હાલત નાજુક છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને નૈનીતાલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના આદેશ આપ્યા હતા.


મળતી માહિતી અનુસાર, આ અકસ્માત નૈનીતાલના કાલાઢુંગી રોડ પર થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણાના હિસારથી એક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો નૈનીતાલ મુલાકાત માટે આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે પોલીસને માહિતી મળી હતી કે એક બસ ખાઇમાં પડી છે. બસ ચલાવતી વખતે ડ્રાઇવરે બસ પર નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…