ટોપ ન્યૂઝનેશનલ

પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પુણેમાં માલવ વિસ્તારમાં આવેલા કુંડમાલામાં પુલ તૂટી પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અનેક લોકો ડૂબ્યા હોવાની શંકા છે. જો કે, આ દુર્ઘટના પછી સ્થાનિક તંત્ર દ્વારા બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરની હદની તલેગાંવ દાભાડે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અનેક લોકો નદીમાં તણાઈ ગયા હોવાની શંકા

મળતી જાણકારી પ્રમાણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલનો અડધો ભાગ તૂટી પડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે પુલ પડ્યો ત્યારે પુલ પર ઘણા લોકો હાજર હતા. જેથી પુલ પડી જતા અનેક લોકો નદીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. જેથી તંત્ર દ્વારા લોકોને શોધવાની અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પુણેના માવલમાં કુંડ મોલમાં પુલ તૂટી પડવાથી કેટલાક પ્રવાસીઓ ડૂબી ગયા છે.

તલેગાંવ દાભાડે પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

આ સમગ્ર ઘટના બપોરે 3.40 વાગ્યાની આસપાસ બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પુલના જે ભાગમાં પથ્થરો પડ્યા હતા, જેથી લોકો પથ્થરો પર પડ્યા હતા. પથ્થરો પર પડેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અનેક લોકો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાની પણ આશંકા છે. ઘટનાસ્થળે સેંકડો પ્રવાસીઓ હાજર હતા, જ્યારે પુલ પડ્યો ત્યારે અનેક લોકો નદીમાં પડ્યા હતા, જેનાથી અનેક લોકોને ગંભીર ઈજા પણ પહોંચી શકે છે. રવિવાર હોવાથી પુલ પર મોટી સંખ્યામાં લોકો આવેલા હતા. જેથી પુલ અચાનક પડી જતા લોકો નદીમાં તણાવવા લાગ્યાં હતાં. અત્યાર સુધીમાં બે જણનાં મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે અમુકને બચાવવામાં પણ આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…યુપીના મથુરામાં ખોદકામ દરમિયાન 4થી 5 ઘરો ધરાશાયી! અનેક લોકો ફસાયા હોવાની આશંકા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button