નેશનલ

Bihar Politics નું ચિત્ર આજે સ્પષ્ટ થશે, રાહુલ ગાંધીએ જીતનરામ માંઝીને INDIA ગઠબંધન માટે કર્યો ફોન: સૂત્રો

નવી દિલ્હી: બિહારમાં ચાલી રહેલા હાઇ વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો આજે અંત આવી શકે છે અને બિહારનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પટણામાં તેજસ્વી યાદવના ઘરે RJD ધારાસભ્ય દળની બેઠક યોજાઈ રહી છે. જ્યારે ભાજપે ચાર વાગ્યે બેઠક બોલાવી છે. આ સિવાય રવિવારે સવારે 10 વાગ્યે JDUની બેઠક યોજાશે.

આ તમામ સંકેતો દર્શાવે છે કે RJD અને JDU અલગ થઈ ગયા છે. JDUના સાંસદોએ મોદી-નીતીશ ગઠબંધનને મહત્વપૂર્ણ ગણાવવાનું શરૂ કર્યું છે. જેડીયુ નેતાઓનું વલણ આરજેડી પ્રત્યે કઠોર જણાય છે.

આ દરમિયાન, બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેજસ્વી યાદવે કહ્યું કે તે આ તખ્તાપલટને એમ સરળતાથી નહીં થવા દેશે . હવે તમામની નજર નીતીશ કુમારના આગામી પગલા પર ટકેલી છે.

આ બધાની વચ્ચે INDIA ગઠબંધને જીતનરામ માંઝીનો સંપર્ક કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભૂપેશ બઘેલ માંઝીને પણ મળી શકે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાહુલ ગાંધીએ માંઝીને ફોન કરીને ઈન્ડિયા બ્લોક આવવા વિનંતી પણ કરી છે.

જ્યારે ચિરાગ પાસવાન કેમ્પના સૂત્રોનું માનીએ તો, તેમણે નીતીશના એનડીએમાં પાછા ફરવાની ચિંતા વ્યક્ત કરી છે. ચિરાગે કહ્યું, ‘એલજેપી (રામ વિલાસ પાસવાન) બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટની નીતિ પર કામ કરવા માંગે છે.

ભાજપ એક મોટી પાર્ટી છે પરંતુ તેણે બિહાર માટે કોમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરવું જોઈએ. અમારી બેઠકો ઓછી ન થવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બધું કામ નહીં થાય તો ચિરાગ પાસવાનની પાર્ટી બિહારમાં 23 સીટો પર એકલા ચૂંટણી લડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…