ઇન્ટરનેશનલનેશનલ

અમે પહેલાથી જ કહેતા આવ્યા છીએ, ટ્રુડોએ ફરી એજ રાગ આલાપ્યો….

અમેરિકામાં હાલમાં જ એક ભારતીય નાગરિક પર ગંભીર આરોપો લાગાવ્યા હતા અને તે વખતે કેનેડાએ પણ ફરી વાર નિજ્જરની બાબતમાં એ જ રાગ આલાપવાનું શરૂ કરી દીધું હતું. કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોએ કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સને કરેલા આરોપો પણ એજ કહી રહ્યા છે જે અમે શરૂઆતથી કહેતા આવ્યા છીએ. ભારતે અમારી વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે.

નોંઘનીય છે કે અમેરિકામાં ફેડરલ પ્રોસિક્યુટર્સે એક ભારતીય નાગરિક પર એક શીખ ખાલિસ્તાની નેતાની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની મેથ્યુ જીએ નિખિલ ગુપ્તા વિરુદ્ધ હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુપ્તા પર સોપારી આપીને હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે, જેમાં વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

અમેરિકન અધિકારીઓનો દાવો છે કે ગુપ્તાએ ન્યૂયોર્ક શહેરમાં રહેતા એક શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે હત્યારાને એક લાખ યુએસ ડોલર આપવાનું સ્વીકાર્યું હતું. જો કે આરોપોમાં શીખ અલગતાવાદી નેતાનું નામ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ આ આરોપ કર્યા બાદ ભારતે કહ્યું હતું કે તેણે અમેરિકન ધરતી પર એક શીખ ઉગ્રવાદીની હત્યાના કાવતરા સાથે સંબંધિત આરોપોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં આરોપ લગાવ્યો હતો કે જૂનમાં તેમના દેશમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. ટ્રુડો દ્વારા સંસદમાં લગાવવામાં આવેલા આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. જો કે ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી તરીકે જાહેર કરેલો છે. તેમજ ભારતે કેનેડાના આરોપોને વાહિયાત અને પાયા વિહોણા ગણાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme