નેશનલ

ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ 5 રાજ્યોમાં લાગુ થયેલી આચારસંહિતા શું છે જાણો…

ભારતના ચૂંટણી પંચે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. તમને પણક્યારેક વિચાર આવતો હશે કે આ આચારસંહિતા શું છે? તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો આ સાથે કેવી રીતે જોડાયેલા છે. તો આજે આપણે અહીં જાણીશું.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ મિઝોરમમાં 07 નવેમ્બરે મતદાન થશે, જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે, આ તારીખો 07 નવેમ્બર અને 17 નવેમ્બર હશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે ચૂંટણી યોજાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થશે. તેલંગાણામાં મતદાનની તારીખ 13 નવેમ્બર છે.

દેશમાં મુક્ત ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલ આ નિયમો એટલે કે આચારસંહિતાનું પાલન કરવાની જવાબદારી તમામ રાજકીય પક્ષોની છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ અંતર્ગત ઘણા નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે. નિયમો તોડનારાઓ માટે સજાની પણ જોગવાઈ છે.

આચારસંહિતાના ભંગ બદલ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે, જે ઘણા પ્રકારના હોઈ શકે છે. જેથી નિયમોનો ભંગ ન થાય કે નિયમો તોડનારાઓની માહિતી યોગ્ય વિભાગને મોકલી શકાય, ચાલો જાણીએ કે આચારસંહિતાના નિયમો શું છે.
આચાર સંહિતાને કારણે, એવી ક્રિયાઓ પર પ્રતિબંધ છે જે કોઈપણ રીતે મતને પ્રભાવિત કરી શકે છે. આચારસંહિતા મુજબ રાજકીય પ્રતિનિધિઓ જાહેર ઉદ્ઘાટન, શિલાન્યાસ સમારોહમાં ભાગ નહીં લઇ શકતા. તેઓ સંબંધિત મતવિસ્તારમાં કોઈ સત્તાવાર પ્રવાસ નહીં કરી શકતા. તેઓ સરકારની સિદ્ધિઓ દર્શાવતા હોર્ડિંગ્સ નથી લઇ શકતા. તેમને સરકારી ઈમારતોમાં PM, CM, મંત્રીઓ અને રાજકીય વ્યક્તિઓના ફોટા પાડવા પર પ્રતિબંધ હોય છે. તેઓ સરકારી સિદ્ધિઓની પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને અન્ય મીડિયામાં જાહેરાત નથી કરી શકતા. ઈપણ પ્રકારની લાંચ કે પ્રલોભન નથી આપી શકતા. નેતાઓએ પોલીસ અધિકારીઓને ભાષણના મિટિંગના સ્થળ અને સમય વિશે અગાઉથી જાણ કરવાની હોય છે.

રાજકીય નેતાએ આ નિયમો વિશે જાગૃત રહેવું પડે છે. જો તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે આચારસંહિતા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…