નેશનલ

આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ PM મોદી અને નિર્મલા સિતારમણ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનજગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy) ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા અને સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે સૌજન્ય મુલાકાત મુલાકાત કરી હતી.અને બંને વચ્ચે રાજ્યોને લગતા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. પીએમ મોદી ઉપરાંત જગન મોહન રેડ્ડીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી હતી.

આપને જણાવી દઈએ કે આ પહેલા તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ટીડીપી અને ભાજપ વચ્ચે નિકટતા વધવાની અટકળો ચાલી રહી હતી. જોકે, જગન મોહન રેડ્ડી એક દિવસ પછી જ દિલ્હી પહોંચી ગયા હતા.

પિતા વાય. એસ. રાજશેખર રેડ્ડીના આકસ્મિક અવસાન પછી, જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ હાઈકમાન્ડની ઉપેક્ષા અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં જેલમાં જવાથી લઈને નવા પક્ષ YSR કોંગ્રેસની રચના સુધીના તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

તેમની ધીરજ અને સંઘર્ષ તેમને વર્ષ 2019માં આંધ્રપ્રદેશના 17મા મુખ્યપ્રધાન બનાવ્યા. નાના ઉદ્યોગપતિથી લઈને શક્તિશાળી નેતા સુધીની તેમની બે દાયકાની લાંબી કારકિર્દીમાં, YSR કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ સારા અને ખરાબ બંને દિવસો જોયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…