રાહુલે ભાજપની ઝાટકણી કાઢી: હિંસામાં લિપ્ત રહેવાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભાજપ પર કોઈપણ શેહ શરમ રાખ્યા વગર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ હિંદુ નથી કારણ કે તેઓ ચોવીસ કલાક ‘હિંસા અને નફરત’માં વ્યસ્ત રહે છે.
ત્તાધારી બેન્ચમાંથી ભારે વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા પર સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક ગણાવવાનો આરોપ મૂક્યો હતો.
ગાંધીએ જો કે મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિશે બોલે છે અને સત્તાધારી પક્ષ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) કે મોદી સમગ્ર હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી.
મોદીએ રાહુલના ભાષણમાં બે વાર દરમિયાનગીરી કરી હતી, જ્યારે ઓછામાં ઓછા પાંચ કેબિનેટ પ્રધાનોએ પણ ગાંધીના લગભગ એક કલાક અને 40 મિનિટ લાંબા ભાષણ દરમિયાન દખલ કરી હતી, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહે સમગ્ર હિંદુ સમુદાયને હિંસક તરીકે રંગવા બદલ તેઓ માફી માગે એવી માગણી કરી હતી.
આ પણ વાંચો: હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
હિંમતની વાત માત્ર એક ધર્મમાં નથી. વાસ્તવમાં, આપણા બધા ધર્મો હિંમતની વાત કરે છે, એમ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકેના તેમના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે જેને તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી દ્વારા વિઝિટર્સ ગેલેરીમાંથી જોવામાં આવ્યું હતું.
ગાંધીજીએ પયગંબર મોહમ્મદને ટાંક્યા હતા કે કુરાન નિર્ભયતા વિશે પણ વાત કરે છે અને કહ્યું કે જ્યારે આપણા હાથ ‘દુઆ’ માટે ઊંચા કરવામાં આવે છે, ત્યારે ‘અભય મુદ્રા’ પણ એક રીતે જોઈ શકાય છે.
ભગવાન શિવ, ગુરુ નાનક અને ઈસુ ખ્રિસ્તના ચિત્રો પકડીને, તેમણે નિર્ભયતાના મહત્વને રેખાંકિત કરવા માટે હિન્દુ ધર્મ, ઇસ્લામ, શીખ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ભગવાન શિવના લક્ષણો અને ગુરુ નાનક, ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ અને મહાવીરના ઉપદેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે દેશના તમામ ધર્મો અને મહાન લોકોએ કહ્યું છે કે ડરો મત, ડરાવો મત (ડરશો નહીં, બીજાને ડરાવશો નહીં)
શિવજી કહે છે કે ડરો મત, ડરાવો મત, તેઓ અભય મુદ્રા બતાવે છે (જમણો હાથ બહારની તરફ હથેળી સાથે સીધો પકડી રાખે છે), અહિંસા વિશે વાત કરે છે, પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે (ભાજપના સાંસદો તરફ ઈશારો કરીને) તેઓ ચોવીસ કલાક નફરત, હિંસા અને અસત્યમાં વ્યસ્ત રહે છે, એમ ગાંધીએ કહ્યું હતું.
આ પણ વાંચો: સ્પીકર વડા પ્રધાન સમક્ષ ઝૂકી ગયા: રાહુલ ગાંધી
સત્તાધારી બેન્ચના સભ્યો વિરોધમાં ઉભા થયા ત્યારે ગાંધીએ ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે આપ હિંદુ હો હી નહીં (તમે હિંદુ નથી). હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યની સાથે ઊભા રહેવું જોઈએ. તેનાથી ડરવું અને પાછું હટવું જોઈએ નહીં. એમ તેમણે કહ્યું હતું.
તેમના ભાષણ દરમિયાન દખલગીરી કરતા મોદીએ કહ્યું હતું કે, આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવું ગંભીર મુદ્દો છે.
ગાંધીએ કહ્યું કે તેઓ ભાજપ વિશે વાત કરી રહ્યા છે અને શાસક પક્ષ હિંદુ ધર્મનો એકમાત્ર પ્રતિનિધિ નથી.
યે ઠેકા નહી હૈ ભાજપ કા, એમ તેમણે કહ્યું હતું.
અમિત શાહે પોતાની જાતને હિંદુ તરીકે ઓળખવામાં ગર્વ લેનારા કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગૃહ અને દેશની માફી માંગી હતી.
તેમણે કહ્યું કે વિપક્ષો દ્વારા કરવામાં આવેલ હંગામો એ હકીકતને ઢાંકી શકે નહીં કે તેમણે જે શબ્દો ગૃહમાં વાપર્યા છે ‘જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા કરે છે’ તે સમગ્ર હિંદુ સમાજ માટે અપમાનજનક છે.
શાહે ગાંધી પર વળતો પ્રહાર કરવા માટે ઈમરજન્સી અને 1984ના શીખ વિરોધી રમખાણોની વાત કરતા કહ્યું કે જે કોંગ્રેસે દેશમાં વૈચારિક આતંક ફેલાવ્યો હતો, તેમને અહિંસા વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી.
મોદીના ડરને કારણે પ્રધાનો તેમનું અભિવાદન કરતા નથી તેવા આક્ષેપ માટે ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે લોકશાહી અને બંધારણે તેમને વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવાનું શીખવ્યું છે.
આ પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
ગાંધીએ ભાજપ પર બંધારણ અને ભારતના મૂળભૂત વિચાર પર ‘વ્યવસ્થિત હુમલા’ શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો અને નોંધ્યું હતું કે લાખો લોકોએ શાસક પક્ષ દ્વારા પ્રસ્તાવિત વિચારોનો વિરોધ કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર મને નિશાન બનાવવામાં આવ્યો હતો. મારી સામે 20 કરતાં વધુ કેસ છે. મારું ઘર છીનવી લેવામાં આવ્યું હતું. ઈડી દ્વારા પંચાવન કલાકની પુછપરછ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની છબી દર્શાવી હતી, જેને કારણે સ્પીકર ઓમ બિરલાએ તેમને યાદ અપાવવું પડ્યું હતું કે ગૃહની અંદર પ્લેકાર્ડ દર્શાવવાની પરવાનગી નથી.
કોંગ્રેસ નેતાએ ભાજપ પર લઘુમતીઓને ધમકાવવા અને મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નફરત અને હિંસા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે લઘુમતીઓ તમામ ક્ષેત્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. તેઓ દેશ સાથે ખડકની જેમ ઉભા છે અને દેશભક્ત છે, પરંતુ તમે (ભાજપ) તેમના પર હુમલો કરો છો, એમ તેમણે કહ્યું હતું.
ટૂંકા ગાળાની સૈન્ય ભરતી માટે અગ્નિપથ યોજનાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ કહ્યું કે સરકાર અગ્નિવીરોને ઉપયોગ કરીને ફેંકી દેવાના મજૂરો તરીકે માને છે અને તેમને શહીદનો દરજ્જો પણ આપતી નથી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગાંધીના આરોપને નકારી કાઢવા માટે દખલગીરી કરી અને કહ્યું કે જે અગ્નિવીર ફરજની લાઇનમાં પોતાનો જીવ આપી દે છે તેને 1 કરોડ રૂપિયાનું વળતર મળે છે.
આ ગૃહ જૂઠાણું ફેલાવવા માટે નથી. રાહુલ ગાંધીએ ગૃહ, દેશ અને અગ્નિવીરોની માફી માંગવી જોઈએ, એમ અમિત શાહે કહ્યું હતું. (પીટીઆઈ)