નેશનલ

ભારત જોડો ન્યાય યાત્રામાં નહીં જોડાયા અખિલેશ યાદવ, આ છે કારણ

લખનઊઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો હજુ અટવાયેલો છે. અનેક રાઉન્ડની વાતચીત બાદ પણ બેઠકો અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. જ્યાં સુધી સીટોની વહેંચણી અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી સમાજવાદી લોકો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે નહીં. ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા જે આજે એટલે કે સોમવારે અમેઠી પહોંચી રહી હતી. પરંતુ હવે તે આ યાત્રામાં ભાગ લેશે નહીં.

કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ થવા પર મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સમાજવાદી પાર્ટી તેમની ન્યાય યાત્રામાં સામેલ થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે અનેક રાઉન્ડની વાતચીત થઈ છે. બંને પક્ષ તરફથી એકબીજાને નામોની ઘણી યાદી સોંપવામાં આવી છે, પણ હજી સુધી કંઇ નક્કર નિર્ણય નથી લેવાયો. જ્યાં સુધી બેઠકો નક્કી ન થાય ત્યાં સુધી સમાજવાદી પાર્ટી આ યાત્રામાં ભાગ લેશે નહીં.


2024ની ચૂંટણીને મહત્વપૂર્ણ ગણાવતા અખિલેશએ જણાવ્યું હતું કે આ બંધારણને બચાવવાની ચૂંટણી છે. આ ભાઈચારો વધારવાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ છેતરપિંડી કરી છે.


સ્વામી પ્રસાદ મૌર્ય અને હાલના સમયમાં થઈ રહેલા રાજીનામા અંગે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે દરેક લોકો લાભ લેવા આવે છે, પરંતુ સ્થળ પર કોણ રહે છે. કોઈના મનમાં શું છે તે કોણ કહી શકે? શું એવું કોઈ મશીન છે જે જાણી શકે કે કોઈના મનમાં શું ચાલી રહ્યું છે? દરેક વ્યક્તિ લાભ લઈને ચાલ્યા જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…