ટોપ ન્યૂઝનેશનલ

200 ફૂટ ઉપર હતું એર ઈન્ડિયાનું વિમાન, લેન્ડિંગ રદ થતા 180 મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં

ચેન્નાઈ: ચેન્નાઈ એરપોર્ટ પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. સિંગાપોરથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર લગભગ 180 મુસાફરો બુધવારે સવારે જ્યારે અસ્થિર દિશા અને પવનના કારણે પાઇલટ્સને ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડિંગ રદ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઇટમાં કુલ 180 મુસાફરો સવાર હતા. આ વિમાન સવારે 10:15 વાગ્યે લેન્ડ થવાનું હતું પરંતુ પાઇલટ્સ દ્વારા ગો-અરાઉન્ડ શરૂ કરવામાં આવે તે પહેલાં જ 200 ફૂટ નીચે ઉતરી ગયું. એરપોર્ટની આસપાસ ફર્યા પછી બીજા પ્રયાસમાં તે સુરક્ષિત રીતે ઉતર્યું, જેના પરિણામે લગભગ 30 મિનિટનો વિલંબ થયો.

એરપોર્ટની આસપાસ ફર્યા બાદ બીજા પ્રયાસમાં સુરક્ષિત લેન્ડિંગ થયું

સુરક્ષિત લેન્ડિંગ થતા 180 લોકોનો આબાદ બચાવ થયો હતો, આ દરમિયાન લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના અધિકારીઓએ સમગ્ર ઘટના અંગે માત્ર ગોળગોળ વાતો કરી હતી. આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુરક્ષિત ઉતરાણ માટે નિયંત્રિત ઉતરાણ દર, યોગ્ય ગતિ અને ગોઠવણીની જરૂર છે. આ કિસ્સામાં, ઉતરાણ ખૂબ જ ઢાળવાળું હતું, અને પવનની ગતિમાં અચાનક ફેરફાર થયો હતો. જો કે, બાદમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પવનના કારણે સુરક્ષિત લેન્ડિંગ કરવું શક્ય નહોતુંઃ અધિકારી

આ ઘટના અંગે વિગતો આપતા એક અધિકારીએ કહ્યું કે, વિમાન 200 ફુટ કરતા ઓછી ઉંચાઈ પર હતું, જમીન પર હવાની સ્થિતિ અચાનક બદલાઈ ગઈ હોવાથી સુરક્ષિત લેન્ડિંગ કરવું શક્ય નહોતું. સુરક્ષિત ઉતરાણ માટે નિયંત્રિત ઉતરાણ દર, યોગ્ય ગતિ અને રનવે સાથે ચોક્કસ ગોઠવણી જરૂરી છે. પરંતુ આ વિમાનન લેન્ડિંગ કરે તે દરમિયાન હવા તેજ થઈ હતી, જેથી વિમાન ખતરનાક રીતે ઝૂકી રહ્યું હતું, જેના કારણે પાઇલટ્સે સમજદારીપૂર્વક ગો-અરાઉન્ડ એટલે કે એરપોર્ટનું ગોળ રાઉન્ડ ફરવાનો નિર્ણય કર્યો જેના કારણે સફળતા પૂર્વક લેન્ડિંગ થઈ શક્યું અને લોકોનો જીવ બચી ગયો.

આ પણ વાંચો….ઓપરેશન સિંદૂરનો લોગો કોણે બનાવ્યો અને કેટલી મિનિટમાં થયો હતો તૈયાર, જાણો વિગતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button