એર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઇટ રદ: ટેક્નિકલ ખામીનો સિલસિલો યથાવત

નવી દિલ્હીઃ અમદાવાદમાં લંડનની ફ્લાઈટ ક્રેશ થયા પછી દેશભરમાં રોજેરોજ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી અને બોમ્બની ધમકીના કોલમાં વધારો થયો છે. આજે એક જ દિવસમાં વધુ એક ફ્લાઈટમાં ખામી સાથે સતત બે ફ્લાઈટમાં ખામીને કારણે રદ કરવાના અહેવાલ છે.
આપણ વાંચો: ટૅક વ્યૂહ : આ ફ્લાઈટ દુર્ઘટનાને કઈ રીતે ઉકેલશે ‘એર ક્રેશ ડિટેક્ટિવ’ ટીમ?
એર ઈન્ડિયાએ એક જ દિવસમાં બે ફ્લાઈટ કેન્સલ કરી છે. અમદાવાદથી લંડનની ફ્લાઈટ કેન્સલ કર્યા પછી દિલ્હીથી પેરિસની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે.
ગયા ગુરુવારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા પછી આજે પાંચમો દિવસ છે ત્યારે આજે એક જ દિવસમાં બે ફ્લાઈટ રદ કરી છે. એર ઈન્ડિયાએ ટેક્નિકલ ખામીનું કારણ જણાવ્યું છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું…
પહેલા ફ્લાઈટ નંબર 159 રદ કરી રહી હતી, જે બપોરના 1.10 વાગ્યે અમદાવાદથી લંડન જવાની હતી. એના પછી એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે એર ઈન્ડિયાની એઆઈ 143 ફ્લાઈટમાં પણ કંઈક મુશ્કેલીને કારણે રદ્દ કરી હતી, જે ફ્લાઈટ દિલ્હીથી પેરિસ જવાની હતી.
એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે ઉડાન પૂર્વે આવશ્યક તપાસ વખતે એક ખામી સર્જાઈ હતી, જે સુધારવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમે પ્રવાસીઓને રોકાઈ જવાની કોશિશ કરી હતી, જ્યારે ટિકિટ રદ કરનારા પ્રવાસીઓને પણ રિફંડ આપ્યું હતું. એા સિવાય એઆઈ142 પેરિસથી દિલ્હીની ફ્લાઈટને પણ રદ કરી છે, જે અઢારમી જૂનના પેરિસથી રવાના થવાની હતી.