ટોપ ન્યૂઝનેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશમાં અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું અવસાન, તે વિમાનમાં કો-પાયલટ હતો

મુંબઈઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. આ દુર્ઘટના મુદ્દ વિશ્વભરના દેશોએ દુઃખ વ્યક્ત કર્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું પણ પ્લેન ક્રેશમાં અવસાન થયું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ અકસ્માત બાદ વિક્રાંત મેસીએ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર તેમના પિતરાઈ ભાઈના ગયાનું દુઃખ શેર કર્યું છે. જેના પર બોલીવુડના ઘણા પ્રખ્યાત લોકોએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.

વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈ ક્લાઇવ કુંડરનું પણ મોત થયું

વિક્રાંત મેસીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, આ દુર્ઘટના તેમના હૃદયની ખૂબ નજીકના વ્યક્તિનું નિધન થયું છે. તેમણે લખ્યું કે, અમદાવાદમાં થયેલા અકલ્પનીય દુ:ખદ હવાઈ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું હૃદય તૂટી ગયું છે. એ જાણીને વધુ દુઃખ થયું કે મારા કાકા ક્લિફોર્ડ કુંડરે તેમના પુત્ર ક્લાઇવ કુંડરને ગુમાવ્યા છે. જે તે દુર્ઘટનામાં કામ કરતા પહેલા અધિકારી હતા. ભગવાન તમને અને તમારા પરિવારને અને અસરગ્રસ્ત બધાને શક્તિ આપે.

અભિનેત્રી પાયલ ઘોષની મિત્ર પ્રીતિનું પણ આ દુર્ઘટનામાં મોત

બોલિવુડ અભિનેત્રી પાયલ ઘોષની મિત્ર પ્રીતિએ પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે આ અકસ્માતમાં પોતાનો મિત્ર ગુમાવ્યો છે. તેમણે તેમના મિત્રના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું- ‘પ્રીતિ રેસ્ટ ઈન પીસ! ચેટર્જી પરિવાર સાથે મારી સંવેદના છે. અમદાવાદ વિમાન દુર્ઘટના’.

અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે શાહરૂખ ખાન, આમિર ખાન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, સની દેઓલ, અક્ષય કુમાર, દિશા પટણી, સોનૂ સૂદ, રિતેશ દેશમુખ જેવા ફિલ્મસ્ટારોએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટના ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી વિમાન દુર્ઘટના છે.

આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button