નેશનલ

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ એએઆઇબી કરશે

નવી દિલ્હી: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭ વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૧૨ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, એએઆઇબીના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને અન્ય લોકો અમદાવાદ જવા રવાના થશે.

આપણ વાંચો: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા

નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ, એએઆઇબી ભારતીય હવાઈ ક્ષેત્રમાં કાર્યરત વિમાનોને અકસ્માતો અને ગંભીર ઘટનાઓમાં સલામતીની ઘટનાઓનું ઈન્સ્પેક્શન કરવા માટે જવાબદાર છે.

તે અકસ્માતોની વિગતવાર તપાસ કરે છે અને સલામતી સુધારવા માટે પગલાં પણ સૂચવે છે. અમે પ્રારંભિક અહેવાલોથી વાકેફ છીએ અને વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ,” એમ બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button