આમચી મુંબઈ

આજે વાશી એપીએમસી બંધ શું કામ છે ખબર છે?…

મુંબઈ: નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટ આજે (શુક્રવારે બંધ રાખવામાં આવી છે. તેમણે આ પગલું મરાઠા આરક્ષણના સમર્થનમાં લીધું છે.

મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર 25 ઓક્ટોબરથી ભૂખ હડતાળ શરૂ કરી છે. તે પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે હું આજથી ભૂખ હડતાલ પર છું. આશા હતી કે સરકાર અમારી પીડા સમજશે; પરંતુ સરકાર ગેરમાર્ગે દોરાઈ રહી છે. જરાંગેએ કહ્યું છે કે સરકારને આપેલું 41 દિવસનું અલ્ટીમેટમ પૂરું થઈ ગયું છે, 41માં દિવસે પણ સરકાર મરાઠા આરક્ષણ માટે કોઈ સ્ટેન્ડ લઈ રહી નથી.

આજે શુક્રવારે 27 ઓક્ટોબરે મનોજ જરાંગે પાટીલની સતત ત્રીજી ભૂખ હડતાળ છે. દરમિયાન તેમની ભૂખ હડતાલ અને માંગણીને સમર્થન આપવા માટે નવી મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ આજે સંપૂર્ણ બંધ રહેશે. મનોજ જરાંગે પાટીલને સમર્થન આપવા માટે તમામ માથાડી કામદારોએ ભેગા થઈને એક દિવસના પ્રતિક ઉપવાસ પર બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી ફ્રુટ માર્કેટ, ફૂલ માર્કેટ, મસાલા માર્કેટ સહિત તમામ બજારો આજે બંધ રહેશે.

સરકાર ગેરમાર્ગે દોરાઈ રહી છે

મનોજ જરાંગે પાટીલે ઉપવાસ પર ઉતરતા પહેલા કહ્યું, હું ખોરાક-પાણી નહીં લઉં, દવા નહીં લઉં. ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ ગામમાં આવે તો તેને શાંતિથી પરત મોકલો. જરંગે પાટીલે એમ પણ કહ્યું કે હિંસક વિરોધ ન કરો, શાંતિપૂર્વક વિરોધ કરો, આત્મહત્યા ન કરો. આશા હતી કે સરકાર અમારી પીડા સમજશે, પરંતુ સરકાર ગેરમાર્ગે દોરાઈ રહી છે. જરાંગેએ સ્પષ્ટ કર્યું છે કે, સરકારને આપેલું 40 દિવસનું અલ્ટીમેટમ પૂરું થઈ ગયું છે, 41મો દિવસ પણ પૂરો થવા છતાં સરકાર અનામત માટે કોઈ સ્ટેન્ડ લઈ રહી નથી, તેથી જ્યાં સુધી તેઓને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…