આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારની માતાની ઈચ્છા પર શું કહ્યું સુપ્રિયા સુળેએ?

મારી નજરો સામે મારો દીકરો મુખ્ય પ્રધાન બને

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથથી અલગ થયેલા જૂથના નેતા અજિત પવારની માતાએ રવિવારે જાહેરમાં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારી આંખો સામે મારો દીકરો મુખ્ય પ્રધાન બને. હવે આના પર શરદ પવારનાં પુત્રી અને એનસીપી શરદ પવાર જૂથના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેની પ્રતિક્રિયા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની ધમાલ ચાલી રહી છે. રાજ્યની 2353 ગ્રામ પંચાયતમાંથી 20,000 કરતાં વધુ બેઠકો માટે રવિવારે મતદાન થઈ રહ્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના માતા આશાતાઈ પવાર અને પત્ની સુનેત્રા પવાર કાટેવાડીના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ગયા હતા, ત્યારે પત્રકારો સામે અજિત પવારની મમ્મી આશાતાઈ પવારે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારી આંખો સામે અજિત પવાર મુખ્ય પ્રધાન બની જાય.

મારી ઉંમર અત્યારે 86 વર્ષની છે. આથી મારી આંખો સામે (હયાતીમાં) મારો પુત્ર (અજિત પવાર) મુખ્ય પ્રધાન બની જાય. બારામતી આપણી જ છે. લોકોનો પણ તેના પર ઘણો પ્રેમ છે, એમ તેમણે કહ્યું હતું.

અજિત પવારની માતાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા ચકડોળે ચડી છે. વિવિધ રાજકીય નેતાઓ આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે એનસીપીના સંસદસભ્ય અને અજિત પવારના પિત્રાઈ બહેન સુપ્રિયા સુળેએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

મારી આંખો સામે જ મારો દીકરો મુખ્ય પ્રધાન બને એવી ઈચ્છા અજિત પવારની મમ્મીની છે એવું પુછતાં જ સુપ્રિયા સુળેએ એક જ વાક્યમાં જવાબ આપતાં કહ્યું હતું કે અલબત્ત, કઈ માતાની ઈચ્છા એવી નહીં હોય?

મનપરિવર્તન અને મતપરિવર્તન થાય તો સપનું સાકાર થશે: વડેટ્ટીવાર
બીજી તરફ વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે અજિતદાદાના સપના માટે તેમની માતાએ પ્રાર્થના કરી હશે. તે સ્વાભાવિક પણ છે. માતા તરીકેની તેમની પ્રાર્થના અજિત પવારના સપનાની ઉડાન પૂરી કરનારી ઠરે. અજિત પવારનું મનપરિવર્તન અને મતપરિવર્તન થશે તો તેમનું આ સપનું ચોક્કસ પૂર્ણ થઈ શકે છે.

શું કહ્યું હતું અજિત પવારની માતાએ?
અજિત પવાર અત્યારે બિમાર છે અને તેમને અશક્તિ આવી છે. આથી તેઓ મતદાન માટે આવી શક્યા નથી. 1957થી હું મતદાન કરું છું. પહેલાં શરૂઆતમાં કાટેવાડીમાં કશું જ નહોતું, પરંતુ મારી પુત્રવધુને કારણે કાટેવાડીમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. અજિત પવાર પર લોકોનો પ્રેમ છે, પરંતુ આગળનું કેવી રીતે કહી શકાય? બધાને લાગે છે કે તેઓ મુખ્ય પ્રધાન બને. અત્યારે મારી ઉંમર 86 વર્ષ છે. આથી મારી નજર સામે જ દીકરો મુખ્ય પ્રધાન બને. બારામતી આપણી જ છે, લોકોનો દાદા પર પ્રેમ પણ છે. હવે જોઈએ, એમ આશાતાઈ પવારે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…