રક્ષાબંધન: પશ્ચિમ રેલવેની બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેનની જાહેરાત…

મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને રક્ષાબંધન નિમિત્તે મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 04828/04827 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ [2 ફેરા]
ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટ, 2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર,10 ઓગસ્ટ, 2025ના રોજ ભગત કી કોઠીથી 2:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 04828નું બુકિંગ 9 ઓગસ્ટ, 2025થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકે.
આ પણ વાંચો…પશ્ચિમ રેલવેના રેલવે સ્ટેશન પર જોવા મળશે હવે ડિજિટલ ડિસ્પ્લે, કોને થશે ફાયદો…