આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમે અધુરું આરક્ષણ નહીં સ્વીકારીએ: જરાંગે-પાટીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનને રોકવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપીને ઓબીસી શ્રેણી હેઠળ આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ આ મુદ્દે આંદોલન કરી રહેલા મરાઠા અનામત માટે આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે મરાઠા સમાજને ‘અધુરી અનામત’ સ્વીકાર્ય નથી. મહારાષ્ટ્ર સરકારે રાજ્ય વિધાનસભાનું આ મુદ્દે વિશેષ અધિવેશન બોલાવવું જોઈએ.

જાલના જિલ્લાના અંતરવાળી સરાટી ગામે આમરણ ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગે-પાટીલે મુખ્ય પ્રધાન સાથે ફોન પર વાત કર્યા બાદ પાણી પીવાનું ચાલુ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે મેં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે ફોન પર વાત કરી હતી. મેં તેમને મારું વલણ વધુ એક વખત સ્પષ્ટ કર્યું હતું કે અધુરું આરક્ષણ મરાઠા સમાજને સ્વીકાર્ય નથી. સરકારે મરાઠા સમાજ માટે આખા રાજ્યમાં આરક્ષણ જાહેર કરવું જોઈએ. અમે આખા રાજ્યના બધા જ મરાઠા ભાઈઓ છીએ અને લોહીના સંબંધો છે.

સમાજના ફક્ત એક વર્ગને જ આરક્ષણ આપવાનો સરકારનો નિર્ણય અમને માન્ય નથી. અત્યારે 60-65 ટકા જેટલા મરાઠા અનામતનો લાભ મેળવી રહ્યા છે. સરકારે તેને રાજ્યના બાકીના મહારાષ્ટ્ર સમાજના લોકો માટે લંબાવી આપવું જોઈએ. આને માટે રાજ્ય સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું જોઈએ અને ઠરાવ મંજૂર કરવો જોઈએ કે મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવું જોઈએ. જેમને જોઈતું હશે તેઓ લેશે, ન જોઈએ તેઓ નહીં લે, એમ તેમણે કહ્યું હતું.

મરાઠા સમાજના નિષ્ણાતોની એક બેઠકનું આયોજન અંતરવાળી સરાટી ખાતે કરવામાં આવશે, જેઓ અનામતના મુદ્દે ચર્ચા કરશે.

મેં પાણી પીવાનું ચાલુ કર્યું છે કેમ કે મારો સમાજ એવું ઈચ્છતો હતો. સમાજ હવે શાંતીપુર્ણ આંદોલન કરી રહ્યો છે. અમારા બે કાર્યક્રમો ભૂખ હડતાળ અને રાજકારણીઓને ગામડાઓમાં પ્રવેશબંધી ચાલુ રહેશે, એમ પણ તેમણે કહ્યું હતું.

વિધાનસભ્યો અને સંસદસભ્યો રાજીનામાં આપી રહ્યા છે તે મુદ્દે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેં તેમને રાજીનામાં આપવા કહ્યું નથી. તેઓ ઈચ્છે તો રાજીનામાં આપી શકે છે, પરંતુ તેને કારણે સમાજને નુકસાન થવું ન જોઈએ. વિધાનસભ્યો, સંસદસભ્યો, ભૂતપૂર્વ વિધાનસભ્યો અને ભૂતપૂર્વ સંસદસભ્યોએ એક જૂથ બનાવીને મરાઠા સમાજ માટે આરક્ષણ લાવવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…