આમચી મુંબઈમહારાષ્ટ્ર

શુક્રવારે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ, જાણી લો તમારો વિસ્તાર તો નથી?

મુંબઈ: શહેરના એચ-પશ્ચિમ વોર્ડમાં પાણીની પાઇપલાઇનના સમારકામ અને જોડાણના કામને કારણે શુક્રવાર તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહશે.

મુંબઈ પાલિકાના એચ-પશ્ચિમ વોર્ડમાં પાલી હિલ જળાશય-૧ની જૂની-જર્જરિત થયેલી મુખ્ય પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. આ સિવાય બાન્દ્રા પશ્ર્ચિમ ખાતેના આર. કે. પાટકર માર્ગ પર રામદાસ નાઇક માર્ગથી રોડ નં. ૩૨ દરમિયાન નવેસરથી નાખવામાં આવેલી ૭૫૦ મિલિમીટર વ્યાસની મુખ્ય પાઇપલાઇન શરૂ કરવામાં આવનાર છે. આ બન્ને કામ શુક્રવારે કરવામાં આવનાર હોવાથી એચ-પશ્ર્ચિમ વોર્ડના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આ સમારકામ દરમિયાન બાન્દ્રા પશ્ર્ચિમના કેટલાક ભાગ, વરોડા માર્ગ, હિલ રોડ, મેન્યુઅલ ગોન્સાલવિસ માર્ગ, પાલી ગાવઠણ, કાંતવાડી, સેરલી રાજન માર્ગ (રોજનો પાણીનો સમય સવારે ૧૦થી બપોરે બે વાગ્યા સુધી) વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો: મુંબઇની પાણીની પાઇપલાઇનમાં નાના મોટા લિકેજની પાલિકા પાસે 55 હજાર અરજી

આ સિવાય ખાર દાંડા કોળીવાડા, દાંડપાડા, ચુઇમ ગાવઠણ, ખાર પશ્ર્ચિમના કેટલાક ભાગ, ગઝદરબંધ ઝૂંપડપટ્ટીના કેટલાક ભાગમાં (રોજનો પાણીનો સમય સાંજે ૫.૩૦થી રાતે ૮.૩૦ કલાક સુધી) પાણી પુરવઠો બંધ રહેશે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગની આસપાસનો પરિસર, પેસ પાલી ગાવઠણ, પાલી પઠાકર, ખાર પશ્ર્ચિમના કેટલાક ભાગમાં (રોજનો પાણીનો સમય રાત્રે ૯.૦૦થી રાત્રે ૧૨.૦૦ કલાક) પાણી પુરવઠો બંધ રહેશે. પાણી પુરવઠો પૂર્વવત થયા બાદ ચાર-પાંચ દિવસ પાણી ઉકાળી અને ગાળીને વાપરવાની પણ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો