આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ચૂંટણી યોજવામાં આવેઃ ઉદ્ધવ ઠાકરેએ કરી મોટી માગણી

મુંબઈ: લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતમાં રોજ રાજકીય ઉથલપાથલ થઈ રહી ત્યારે મહારાષ્ટ્રમાં અઠવાડિયામાં બે ફાયરિંગના બનાવ પછી આ મુદ્દે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારની આકરી ટીકા કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી.

ઉદ્ધવ ઠાકરે જૂથના કદાવર નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકર ઉપર થયેલા ગોળીબાર મુદ્દે આજે ઉદ્ધવ ઠાકરેએ શિંદે સરકાર ઉપર હલ્લાબોલ કર્યો હતો. તેમણે રાજ્યમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તેમ જ ચૂંટણી યોજવાની માગણી કરી હતી.

તેમણે રાજ્યમાં કાયદા અને સુવ્યવસ્થાની હાલત વિશે પ્રશ્ર્ન ઉપસ્થિત કરતા સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં દોઢ વર્ષમાં સરકારના પ્રોત્સાહનથી ગુંડાગીરી ચાલુ છે. ગુંડાઓના પ્રધાનો સાથેના ફોટાઓ દેખાય છે. ગુંડાઓને મળતું સંરક્ષણ એ ચિંતાનો વિષય છે.

અમારા યુવાન કાર્યકર્તા અભિષેક તેની હત્યા થઇ અને ગુંડાએ પોતે આત્મહત્યા કરી નાંખી. આ પ્રકરણ ઉપર ઉપરથી જેવું દેખાય છે તેવું નથી. જો ગુંડાએ આવું પગલું લીધું તો તેણે આત્મહત્યા કેમ કરી? એ પ્રશ્ર્ન રહે છે. ફેસબુક લાઇવ ચાલુ હતું ત્યારે આ ઘટના બની પણ ગોળી કોણ ચલાવે છે તે હજી સુધી સ્પષ્ટ દેખાતું નથી, એવો સવાલ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.

ગોળીઓએ ગુંડાએ મારી કે પછી બીજા કોઇએ એ હજી સ્પષ્ટ જણાતું નથી. આ પહેલાના રાજ્યપાલ ખૂબ કાર્યદક્ષ હતા અને તેમનો જ ફોટો આવ્યો ગુંડા સાથે. એટલે અમે રાજ્યપાલ પાસે જવાના નથી. ગણપતિના વિસર્જન દરમિયાન એક વિધાનસભ્યએ ગોળીબાર કર્યો તેના ઉપર પણ કાર્યવાહી કરી નહીં. દહીસરમાં વિધાનસભ્યના દીકરાએ બિલ્ડરના દીકરાનું અપહરણ કર્યું, તેના ઉપર પણ કાર્યવાહી કરી નહીં.

ગઈકાલે પુણેમાં નિખીલ વાગલે, અસીમ સરોદે, વિશ્ર્વંભરી ચૌધરી ઉપર હુમલો થયો. ભાજપના ગુંડાઓએ તેને ધમકી પણ આપી હતી. પોલીસે હજી સુધી તેમના ઉપર કાર્યવાહી કરી નથી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી માગણી માગણી પણ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. સુપ્રીમ કોર્ટે અમને ન્યાય આપવો જોઇએ, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…