આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં બે નાઈટ બ્લોક રહેશે, ટ્રાવેલ કર્યા પહેલા જાણી લો માહિતી

મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના એક્સ્ટેન્શનના મહત્ત્વના પ્રકલ્પ માટે આગામી બે દિવસના નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેથી મુંબઈની ટ્રેનસેવા પર અસર થશે. આ ઉપરાંત, અમુક ટ્રેનોને ડાઈવર્ટ કરવાની સાથે રદ કરવામાં આવશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું છે.

સીએસએમટીના પ્લેટફોર્મના એક્સ્ટેન્શનના કામકાજ માટે આજે અને આવતીકાલના રાતના એમ બે નાઈટ બ્લોક લેવામાં આવશે. બંને નાઈટ બ્લોક રાતના 12.30 વાગ્યાથી સવારના 4.30 વાગ્યા સુધી ચાર-ચાર કલાકના રહેશે. બ્લોક દરમિયાન યાર્ડ લાઈનના પોર્ટલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેથી ભાયખલા અને સીએસએમટી વચ્ચે અપ એન્ડ ફાસ્ટ લાઈનમાં બ્લોક રહેશે.

બ્લોક દરમિયાન મડગાંવ-જનશતાબ્દી એક્સપ્રેસ, મડગાંવ-સીએસએમટી એક્સપ્રેસ, અમૃતસર-સીએસએમટી એક્સપ્રેસ, ભુવનેશ્વર-મુંબઈ કોણાર્ક એક્સપ્રેસ અને હાવડા-સીએસએમટી ટ્રેનોને દાદરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. ઉપરાંત, સબર્બનમાં આજે સીએસએમટી-કલ્યાણની 09.54 અને 11.05 વાગ્યાની ટ્રેન રદ રહેશે.

બ્લોક દરમિયાન મેઈન લાઈન ભાયખલા અને સીએસએમટી અને હાર્બર લાઈનમાં વડાલા રોડ અને સીએસએમટી સ્ટેશનની વચ્ચે સબર્બનની લોકલ ટ્રેનસેવા ઉપલબ્ધ રહેશે નહીં. બ્લોક દરમિયાન આજે રાતના સીએસએમટીથી લાસ્ટ લોકલ રાતના 12.14 વાગ્યાની રહેશે, જ્યારે બ્લોક પછી સીએસએમટીથી પહેલી લોકલ સવારના 4.47 વાગ્યે રવાના કરવામાં આવશે. એ જ પ્રકારે હાર્બર લાઈનમાં સીએસએમટીથી પનવેલ માટેની છેલ્લી લોકલ રાતના 12.13 વાગ્યાની રહેશે.
રવિવારે માટુંગા-મુલુંડ વચ્ચે ચાર કલાકનો બ્લોક

રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે મધ્ય રેલવેમાં બે નાઈટ બ્લોક સિવાય રવિવારે માટુંગા-મુલુંડની વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારના 11.10 વાગ્યાથી બપોરના 3.10 વાગ્યા સુધી ચાર કલાકનો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન ડાઉન ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેનોને સ્લો લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે.

રવિવારે હાર્બરમાં કુર્લા-વાશી વચ્ચે પાંચ કલાકનો બ્લોક
હાર્બર લાઈનમાં રવિવારે કુર્લા અને વાશી વચ્ચે અપ એન્ડ ડાઉન લાઈનમાં સવારના 11.10 વાગ્યાથી બપોરના 4.10 વાગ્યા વચ્ચે પાંચ કલાકનો બ્લોક રહેશે. પાંચ કલાકના બ્લોકને કારણે અમુક ટ્રેનો રદ રહેશે, જ્યારે લોકલ ટ્રેનસેવા મોડી દોડશે. બ્લોક દરમિયાન સીએસએમટીથી કુર્લા અને પનવેલ-વાશી સેક્શનમાં લોકલ ટ્રેનસેવા ઉપલબ્ધ રહેશે, પરંતુ બાકીના સેક્શનમાં ટ્રેનસેવા ઉપલબ્ધ રહેશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…