આમચી મુંબઈ

કન્સ્ટ્રકશન સાઈટ નજીકથી સગીરાનોમૃતદેહ મળ્યો: પોલીસને હત્યાની શંકા…

થાણે: થાણેમાં કન્સ્ટ્રકશન સાઈટ નજીકથી સગીરાનો મૃતદેહ મળી આવતાં તેની હત્યા કરાઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સગીરાની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ કાસારવડવલી વિસ્તારમાંથી શનિવારે બપોરે સગીરાનો મૃતદેહ મળ્યો હતો. એક કન્સ્ટ્રકશન સાઈટ નજીક રસ્તા પર પડેલા સગીરાના મૃતદેહ પર રાહદારીઓની નજર પડતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. સગીરાના ગળા ફરતે કપડું વીંટાળેલું હોવાનું કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું.

માહિતી મળતાં જ કાસારવડવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદાજે 17 વર્ષની સગીરાની ચારેક ફૂટની ઊંચાઈ છે. લીલા રંગના સલવાર-કુરતા પહેરેલી સગીરાના હાથમાં બંગડીઓ પણ છે. જોકે તાત્કાલિક સગીરાની ઓળખ થઈ શકી નહોતી.

પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઓળખ મેળવવા તેની તસવીર દરેક પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવી હતી. કાસારવડવલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા) અને 238 (પુરાવાનો નાશ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. થાણે ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button