આમચી મુંબઈ

થાણે-ઘોડબંદર રૂટ પર રવિવાર સુધી ભારે વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિકની સમસ્યા વધશે

મુંબઈ: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર બાંધકામ વિભાગ દ્વારા થાણે-ઘોડબંદર રૂટ પર ગાયમુખથી કાજુપાડા ઘાટ સુધી રસ્તાના સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું છે, તેથી આવતીકાલથી લઈ ૧૪ ડિસેમ્બરના રવિવાર સુધી સતત ત્રણ દિવસ માટે આ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલા થાણે-ઘોડબંદર રોડની ખરાબ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ, વહીવટીતંત્રે તાત્કાલિક મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના ફાઉન્ટેનથી ગાયમુખ સુધીના સાડા ચાર કિલોમીટર લાંબા રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. ૨૪ નવેમ્બરના રોજ આ રસ્તો ભારે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. આ કામ પૂર્ણ થયા પછી પણ, મુસાફરો ગાયમુખથી કાજુપાડા સુધીના માર્ગ પર ખાડા હોવાની ફરિયાદ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : થાણે-ઘોડબંદર રોડ પરથી અવરજવર કરનારા વાહનચાલકો માટે મોટા ન્યૂઝ, જાણી લો તો ફાયદામાં રહેશો…

આ પૃષ્ઠભૂમિમાં થાણે જાહેર બાંધકામ વિભાગ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ માર્ગનું સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આવતીકાલે રાતના ૧૨ વાગ્યાથી થી ૧૪ ડિસેમ્બરના રાતે ૧૨ વાગ્યા સુધી આ રૂટ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની પોલીસે અપીલ કરી છે. વાહનચાલકો આ રૂટને બદલે વૈકલ્પિક માર્ગ તરીકે, શિરસાડ ફાટાથી ગણેશપુરી અને ચિંચોટી-ખારબાવ થઈને મુસાફરી કરી શકશે.

ગુજરાતથી આવતા વાહનોએ મનોર-વાડા નાકા થઈને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. થાણેથી ઘોડબંદર તરફ જતા વાહનોને વાય જંકશનથી નાસિક રોડ થઈને સીધા માનકોલી તરફ વળવાની સૂચના આપવામાં આવી છે. વિરારથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર જનારા વાહનોને શિરસાડ જંકશનથી વરસાવે દિશામાં નોએન્ટ્રી રહેશે.

આ પણ વાંચો : એમએમઆરડીએનું 2025-26 માટેનું બજેટ: માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવી ભંડોળની 87 ટકા રકમ…

વસઈથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર જનારા વાહનોને ચિંચોટી ચેકપોઇન્ટથી વરસાવે દિશામાં પ્રવેશવાની મનાઈ રહેશે. મુંબઈ અથવા મીરા ભાઈંદરથી ઘોડબંદર રોડ થઈને આવતા વાહનોને ફાઉન્ટેન હોટલ નજીકથી થાણેમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button