આમચી મુંબઈ

થાણે ક્રીક બ્રિજ પ્રોજેક્ટઃ માછીમારોના નુકસાન, રાહત નક્કી કરવા સંસ્થાની નિમણૂક

મુંબઈ: થાણે ક્રીક બ્રિજ-3 પ્રોજેક્ટના કારણે માછીમારોને થયેલા નુકસાન અને વળતરની ગણતરી કરવા માટે બોમ્બે હાઇ કોર્ટે ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સિસ (ટીઆઈએસએસ)ની નિમણૂક કરી છે.

આ મહિનાની શરૂઆતમાં આપવામાં આવેલા એક આદેશમાં ન્યાયમૂર્તિ બી પી કોલાબાવાલા અને ન્યાયમૂર્તિ ફિરદોશ પૂનીવાલાની ખંડપીઠે ટીઆઈએસએસને ટીસીબી થ્રિને કારણે પ્રોજેક્ટ-અસરગ્રસ્ત માછીમારોને થયેલા નુકસાન અને નુકસાનની માત્રા પર વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા અને ચૂકવવાપાત્ર વળતર નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. સંસ્થાએ 21 નવેમ્બર સુધીમાં અહેવાલ રજૂ કરવાનો રહેશે.

આપણ વાંચો: ભારત-પાક તણાવ વચ્ચે મુંબઈ દરિયાકિનારા પર સુરક્ષા વધારાઈ; મહારાષ્ટ્ર સરકારનો માછીમારોને આદેશ

પુલના કારણે થયેલા નુકસાનને ખૂબ જ ચોકસાઈથી નક્કી કરી શકાતું નથી, પરંતુ તમામ સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને નુકસાન અને નુકસાન નક્કી કરવાનો પ્રયાસ થવો જ જોઇએ એમ તેમાં જણાવાયું હતું.

સાયન પનવેલ હાઇ-વે પર છ લેનનો ઓવરપાસ ટીસીબી થ્રિનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે, જેમાંનો એક ભાગ વાહનોના ટ્રાફિક માટે પહેલેથી જ ખુલ્લો છે. આ પુલ થોડા અઠવાડિયામાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની સંભાવના છે.

માર્ચ 2022માં હાઇ કોર્ટે વાશી નજીક ત્રીજા થાણે ક્રીક બ્રિજના નિર્માણને કારણે અસરગ્રસ્ત થયેલા 900થી વધુ માછીમાર પરિવારોને 10 કરોડ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. દરેક પરિવારને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. દરેક અસરગ્રસ્ત પરિવારોને ચૂકવવાની અંતિમ વળતરની રકમનો મુદ્દો બાકી હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button