એનસીપી (એસપી)ના કેટલાક સાંસદો વફાદારી બદલી શકે છે: ભાજપના નેતાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના એક સિનિયર નેતાએ બુધવારે એવો દાવો કર્યો હતો કે શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી (એસપી)ના કેટલાક સાંસદો જો વિકાસ તેમની પ્રાથમિકતા હોય તેમની પાર્ટીમાં પ્રવેશ કરી શકે છે .
મહા વિકાસ આઘાડીના ઘણા સાંસદો, ખાસ કરીને એનસીપી (એસપી) ના સાંસદો એવા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો પર વિજય મેળવ્યો હતો, એમ ભાજપના નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું.
આપણ વાંચો: એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ, અન્ય ત્રણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા
ફડણવીસની અત્યંત નજીકના મનાતા દરેકરે કહ્યું હતું કે, ‘જો વિકાસ પ્રાથમિકતા હશે, તો કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ દ્વારા નિયંત્રિત છે, આવી સ્થિતિમાં તેઓ તેમના રાજકીય ભાવિ વિશે કાળજીપૂર્વક વિચાર કરી શકે છે.’ બીજી તરફ એનસીપી (એસપી)ના નેતા વિદ્યા ચવ્હાણે દરેકરના દાવાઓને ફગાવી દીધા.
‘ભાજપની આગેવાની હેઠળની કેન્દ્રની સરકાર નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જેવા નેતાઓ સાથેનું નાજુક ગઠબંધન છે. તેઓ તેમનું સમર્થન ગુમાવવાના ડરમાં જીવે છે, તેથી જ તેઓ આવી યુક્તિઓનો આશરો લે છે (વિરોધી પક્ષોના સાંસદોને આકર્ષવા માટે),’ એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: એનસીપી (એસપી)ના નેતા, ગ્રામજનો વિરુદ્ધ બેલેટ પેપર વડે ‘ફેરમતદાન’ કરવાનો પ્રયાસ કરતા કેસ નોંધ્યો
‘અમારા સાંસદો મક્કમ છે અને ગઠબંધન સાથે દગો નહીં કરે,’ એમ પણ ચવ્હાણે ભારપૂર્વક કહ્યું.