આમચી મુંબઈ

સંજય રાઉત આસપાસ હોય ત્યારે ઉદ્ધવને રાજકીય દુશ્મનની જરૂર નથી: ગિરીશ મહાજન

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત પર આકરા પ્રહાર કરતા ભાજપના સિનિયર મિનિસ્ટર ગિરીશ મહાજને મંગળવારે તેમને ‘દલાલ’ અને ઉદ્ધવ ઠાકરેના રાજકીય દુશ્મન ગણાવ્યા, જે પાર્ટીના સંગઠનને હાની પહોંચાડી રહ્યા છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અત્યંત ખાસ માનવામાં આવતા મહાજનને સંજય રાઉતે કરેલી ટીકા બાદ આવ્યો હતો.
સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ સત્તા ગુમાવશે ત્યારે મહાજન પ્રથમ નેતા હશે જે ભાજપ છોડી દેશે.

ફડણવીસની કેબિનેટમાં જળ સંસાધન વિભાગ સંભાળતા મહાજને પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ઉદ્ધવ ઠાકરેને તેમના પક્ષનો નાશ કરવા માટે કોઈ રાજકીય દુશ્મનની જરૂર નથી કારણ કે સંજય રાઉત આ કામ માટે પૂરતા છે.’

આપણ વાંચો: ડબલ એન્જિન સરકાર હોવા છતાં ઉદ્ધવ ઠાકરેથી ગભરાય છે ભાજપ?

ઉત્તર મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ વિધાનસભ્યે એવો આરોપ લગાવ્યો હતો કે રાઉત જેવા ‘દલાલો’એ શિવસેના (યુબીટી)ના નેતાઓ અને પાયાના કાર્યકરોને ભગાડી દીધા છે.

‘જે રીતે રાઉતે ઠાકરેને શરદ પવાર અને કોંગ્રેસની નજીક ધકેલી દીધા (2019ની વિધાનસભા ચૂંટણી પછી જ્યારે ભાજપ અને શિવસેના અલગ થયા હતા) તેનાથી તેમણે પોતાના પક્ષને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે,’ એમ મહાજને કહ્યું હતું.
જો ઠાકરે રાઉતને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયા તો શિવસેના (યુબીટી) તૂટી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આપણ વાંચો: ‘..તો અમે હંમેશા વડા પ્રધાન સાથે ઉભા રહીશું’: ઉદ્ધવ ઠાકરે

જૂન 2022માં પાર્ટીના એક દિગ્ગજ નેતા એકનાથ શિંદે અને અનેક વિધાનસભ્યોના પક્ષ છોડ્યા બાદ શિવસેનાનું વિભાજન થયું હતું. શિંદે જે મુખ્ય પ્રધાન બન્યા હતા અને તેમને ચૂંટણી પંચ દ્વારા શિવસેના નામ અને ધનુષ્ય અને બાણનું પ્રતીક જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

રાઉતની ટિપ્પણીનો જવાબ આપતા કે મહાજન સંભવિત પક્ષ છોડનાર હશે, ભાજપના નેતાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ એક સ્વયંસેવક છે અને સાત ટર્મથી વિધાનસભ્ય છે જે પક્ષને મજબૂત કરવા માટે કંઈ પણ કરશે.

‘પરંતુ હું ક્યારેય રાઉતે પોતાના પક્ષ સાથે જે કર્યું તે નહીં કરું. હું સંગઠનને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ કાર્યમાં સામેલ નહીં થાઉં. હું ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંનો એક છું. હું વીસ વર્ષ સુધી વિપક્ષમાં બેઠો હતો. જોકે મને ઘણી ઓફરો મળી (નિષ્ઠા બદલવા માટે) હતી, પરંતુ મેં ક્યારેય મારો પક્ષ છોડ્યો નથી’ એમ તેમણે ઉમેર્યું હતું.

આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યાઃ ‘I.N.D.I.’ ગઠબંધન પર પહેલી વાર આપ્યું નિવેદન

સંજય રાઉતની જીભ લપસી: ગિરીશ મહાજન કાયર

આગામી થોડા દિવસોમાં ઠાકરે જૂથ ખતમ થઈ જશે, આગામી આઠ દિવસમાં તેમની પાર્ટીને મોટો ફટકો પડવાનો છે, એમ ભાજપના નેતા ગિરીશ મહાજને કહ્યું હતું. હવે શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે ગિરીશ મહાજનની ટીકાનો જવાબ આપતી વખતે તેમની જીભ લપસી ગઈ.

સંજય રાઉતે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે, અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે જેવા ઘણા નામોનો ઉલ્લેખ કરી શકાય છે. આ તેમનો પક્ષ છે. આજે મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી ભ્રષ્ટ, વ્યભિચારી, રાષ્ટ્રવિરોધી લોકોના સંઘ તરીકે જોવામાં આવે છે. એક સમયે ભાજપ શુદ્ધ, હિન્દુત્વવાદી અને સંસ્કારી લોકોનો પક્ષ હતો.

આ પક્ષનું નેતૃત્વ મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, વસંતરાવ ભાગવત, ભાઉસાહેબ ફૂંડકર જેવા લોકો કરતા હતા. પરંતુ આજે આ પક્ષની બાગડોર કોણ સંભાળે છે? દલાલો, ભ્રષ્ટ લોકો, કોન્ટ્રાક્ટરો પાસે તેની બાગડોર છે અને આ લોકો આપણી પાર્ટીનો નાશ કરવા માટે નીકળ્યા છે.

’શું તમારી પાર્ટીની કોઈ જમીન છે? તમારી પાર્ટી ક્યાં છે? હાથમાં પોલીસ અને પૈસા દ્વારા પાર્ટી તોડી નાખતા હતા અને તે દલાલોમાંથી એક ગિરીશ મહાજન છે. મને નથી લાગતું કે મારે તેમના વિશે કંઈ કહેવું જોઈએ. જે દિવસે આપણી પાસે સત્તા હશે, તે દિવસે પાર્ટી બદલનાર પ્રથમ વ્યક્તિ ગિરીશ મહાજન હશે.

જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમની તપાસ શરૂ થઈ હતી. તેમના આર્થિક કૌભાંડોની તપાસ ચાલી રહી હતી, તેઓ સંદેશ મોકલી રહ્યા હતા કે હું રાજકારણ છોડીને ચૂપચાપ બેસી જવા તૈયાર છું. આ કાયર લોકો છે એમ સંજય રાઉતે ગિરીશ મહાજનને ગાળો આપતા કહ્યું હતું.

આપણ વાંચો: રાજ ઠાકરેનો મોટો ચાહક, તેમના જેવા વ્યક્તિએ ઉદ્ધવ ઠાકરે સાથે ન જવું જોઈએ: શિવસેનાના પ્રધાન

સંજય રાઉતે મોઢું ફેરવતા જ મહાજને ઠાકરે સેનામાં ‘ભૂકંપ’ સર્જવાની વાત કરી

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતની નાસિક મુલાકાત પૂરી થતાં જ ભાજપના પ્રધાન ગિરીશ મહાજને મોટો બોમ્બ ફેંક્યો છે. ઠાકરે સેનાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાવા તૈયાર હશે.

હવે આગામી આઠ દિવસમાં કોઈ પણ પક્ષમાં રહેશે નહીં, એમ મહાજને સૂચક ચેતવણી આપી હતી.સાંસદ સંજય રાઉત નાસિકની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન રાઉતે મહાયુતિ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

રાઉતે હુમલો કરતા કહ્યું હતું કે, ‘પૈસા ખર્ચો અને તમાશો જુઓ, પાર્ટી તોડો.’ ભાજપના મહાજને આ આરોપોનો કડક જવાબ આપ્યો હતો.આ દરમિયાન સંજય રાઉતના નજીકના સહયોગી સુધાકર બડગુજર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાશિક શહેરમાં ઠાકરે સેનાના શહેર વડા વિલાસ શિંદેની પુત્રીના લગ્નમાં હાજરી આપી હતી. તેથી, હવે એવી ચર્ચા છે કે ઠાકરે સેનાના ટોચના પદાધિકારીઓ પણ પાર્ટી છોડી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button