આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ.1.31 કરોડની ઠગાઇ: છ વિરુદ્ધ ગુનો

થાણે: નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.31 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ 20 યુવાનોનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ભારતીય રેલવેમાં નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.

સપ્ટેમ્બર, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન તેમણે નોકરીવાંચ્છુઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ્સ તેમ જ રોકડથી રૂ. 1.31 કરોડ સ્વીકાર્યા હતા, એમ ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

આપણ વાંચો: મહિલા સાથે 68 લાખની છેતરપિંડી : ચારમાંથી એક આરોપીની હત્યા થઈ હતી…

એક આરોપીએ એકઠા કરાયેલા નાણાંનો દુરુપયોગ કર્યો હતો. તેણે નાણાં અંગત ખર્ચ માટે તથા કોલ્હાપુરમાં ઘર બાંધવા માટે વાપર્યાં હતાં. નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેનારા પીડિતોએ નોકરી અંગે તપાસ કરી અને બાદમાં તેમણે આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો.

આરોપીઓ તેને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા અને તેમનાં નાણાં પર કરવામાં નિષ્ફળ ગયા હતા.
દરમિયાન પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં પીડિતોએ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે ખારઘર પોલીસે સોમવારે છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધ આદરી હતી. (પીટીઆઇ)

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker