આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

નિકમને ટિકિટ આપ્યા પછી પૂનમ મહાજને આપી પ્રતિક્રિયા, મોદી માટે આમ કહ્યું…

મુંબઈ: ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી મહાયુતિએ ભાજપના તરફથી કસાબને ફાંસી અપાવનારા તેમ જ 1993 સિરિયલ બ્લાસ્ટ જેવા સંવેદનશીલ કેસમાં સરકારી વકીલ તરીકેની ફરજ બજાવનારા ઉજ્જવલ નિકમને ઉમેદવારી આપી અને બે વખત સાંસદ રહેલા પૂનમ મહાજનના નામની બાકબાકી કરવામાં આવી. પોતાની ટિકિટ કપાયા બાદ પૂનમ મહાજનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

તેમણે કહ્યું હતું કે જનતાએ મને પોતાના કુટુંબની એક સભ્ય ગણીને મને પ્રેમ આપ્યો એટલે હું તેમની આભારી છું અને તેમની ઋણી રહીશ. તેમની સાથેનું આ સંબંધ હું હંમેશા ટકાવી રાખીશ. મારા દેવ અને મારા સ્વર્ગીય પિતા પ્રમોદ મહાજને મને હંમેશાં રાષ્ટ્ર પ્રથમ આ રસ્તો ચીંધ્યો હતો અને હું આ માર્ગ પર જીવનભર ચાલી શકું, તેવી હું ઇશ્વરને પ્રાર્થના કરું છું. મારા જીવનની પ્રત્યેક ક્ષણ દેશ માટે સમર્પિત છે, તેમ પૂનમે જણાવ્યું હતું.

પૂનમ મહાજને સોશિયલ મીડિયા સાઇટ એક્સ (પહેલા ટ્વિટર) પર પોતાના સત્તાવાર એકાઉન્ટ પર પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાંસદ તરીકે મને દસ વર્ષ ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભાના ક્ષેત્રનું નેતૃત્વ કરવાની તક મળી એ માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તેમણે મને સાંસદ તરીકે નહીં, દીકરી તરીકે સ્નેહ આપ્યો.

હવે ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી ભાજપ તરફથી ઉજ્જ્વલ નિકમ અને કૉંગ્રેસના વર્ષા ગાયકવાડ વચ્ચે ચૂંટણીની લડત જામશે. ભાજપે પણ પૂનમ મહાજનની ટિકિટ કાપવામાં આવી હોવાની વાતને ફગાવતા કહ્યું હતું કે ઉજ્જ્વલ નિકમે રાષ્ટ્રહિતમાં અનેક કેસમાં સરકારની બાજુ મક્કમપણે માંડી હતી અને તેમની આ કામગીરી જોઇને તેમને ઉમેદવારી સોંપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing