શિવલિંગને 5.51 લાખની ચલણની નોટોથી શણગાર્યું, ભક્તોની અનોખી ભક્તિનો કિસ્સો...

શિવલિંગને 5.51 લાખની ચલણની નોટોથી શણગાર્યું, ભક્તોની અનોખી ભક્તિનો કિસ્સો…

વાશિમઃ દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ મહિનાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શિવ મંદિરોમાં શિવલિંગનો દૈનિક શણગાર એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે, જે ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે.

શ્રાવણ મહિનામાં, ખાસ કરીને દર સોમવારે, શિવલિંગની પૂજા અને શણગારનું વિશેષ મહત્વ છે. શિવલિંગને ચંદન, રાખ, બેલપત્ર, ભાંગ, ધતુરા, ફૂલો અને શમીના પાનથી શણગારવામાં આવે છે. આ શણગાર ભગવાન શિવના મહિમા અને શક્તિનું પ્રતીક છે. ભક્તો આ પૂજામાં પૂર્ણ ભક્તિભાવથી ભાગ લે છે અને ભગવાન શિવ પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરે છે.

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના શ્રી પદ્મેશ્વરન મંદિરમાં શિવભક્તોએ તેમની અનોખી ભક્તિથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. અહીંના ભક્તોએ શિવલિંગને એવી અનોખી રીતે શણગાર્યું હતું કે જોનારાઓ જોતા જ રહી ગયા હતા. આ મંદિરમાં શિવલિંગની સજાવટ એટલી મનમોહક હતી કે તેની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે.

શ્રી પદ્મેશ્વરન મંદિરમાં ભક્તોએ શિવલિંગને ચલણી નોટોથી શણગાર્યું હતું. આ અનોખા શણગાર માટે 5 લાખ 51 હજાર રૂપિયાની કિંમતની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિવલિંગના ભવ્ય શણગાર માટે 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટ્સ અને કેટલાક સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શણગાર માત્ર ભક્તિનું અનોખું પ્રદર્શન નથી, પરંતુ તે મંદિરની ખ્યાતિમાં પણ વધારો કરી રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button