આમચી મુંબઈ

કાંદા ઉત્પાદકોના નુકસાન માટે એકર દીઠ એક લાખ રૂપિયાના વળતરની માંગણી

મુંબઈ: મહારાષ્ટ્રમાં ડુંગળી ઉત્પાદકોના એક સંગઠને ગયા મહિને રાજ્યમાં ભારે વરસાદને કારણે પાક ગુમાવનારા ખેડૂતો માટે એકર દીઠ એક લાખ રૂપિયાનું વળતર આપવાની માગણી કરી છે. મહારાષ્ટ્ર દેશમાં ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે.

29 મેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠને પણ નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) દ્વારા ડુંગળીની “પારદર્શક” ખરીદી માટે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં મે મહિનામાં અનરાધાર વરસાદ પડ્યો હતો એમ તેમાં જણાવાયું હતું.

આપણ વાંચો: Bangladesh માં હિંસાના પગલે ડુંગળી વેપારીઓની ચિંતા વધી, આ કારણે થઈ શકે છે મોટું નુકશાન

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળીનું ઉત્પાદન કરતા જળગાંવ, ધુળે, નાશિક, અહલ્યાનગર, છત્રપતિ સંભાજી નગર, પુણે, સોલાપુર, બીડ, ધારશિવ, સાંગલી, બુલઢાણા, અકોલા, પરભણી અને જાલના જેવા જિલ્લાઓને વરસાદની ભારે અસર થઈ છે.

6 મેથી ભારે વરસાદને કારણે રાજ્યભરમાં ડુંગળીના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે એમ એસોસિએશનના પ્રમુખ ભરત દિઘોલે અને તેના નાસિક જિલ્લા અધ્યક્ષ જયદીપ ભદાણેના હસ્તાક્ષરવાળા પત્રમાં જણાવાયું છે. ઘણા ખેડૂતોએ રવી સિઝનનો આખો પાક લણણી થાય તે પહેલાં જ ગુમાવી દીધો હતો એમ કહીને એકર દીઠ રૂ.1 લાખનું વળતર માગ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button