આમચી મુંબઈ

ભારતમાં ગેરકાયદે રહેતા મ્યાનમારના આઠ નાગરિકને બે વર્ષની જેલ

થાણે: ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા મ્યાનમારના આઠ નાગરિકને થાણે સેશન્સ કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સજા પૂરી થયા પછી તેમને વતન પાછા મોકલાવી દેવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.

એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે આદેશમાં નોંધ કરી હતી કે આરોપીઓ વિદેશી નાગરિક નથી એ સિદ્ધ કરવાની જવાબદારી તેમની પોતાની છે. યુએનએચસીઆર દ્વારા અપાયેલાં રેફ્યૂજી કાર્ડ્સને ભારતમાં કોઈ માન્યતા નથી, કેમ કે 1951ના યુએન રેફ્યૂજી ક્ધવેન્શનમાં ભારતમાં કોઈ સહી કરી નથી.

આપણ વાંચો: નાશિકમાં ગેરકાયદે વસવાટ કરનારા આઠ બાંગ્લાદેશી પકડાયા

આ કેસમાં આઠ જણને ફોરેનર્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ કસૂરવાર ઠેરવાયા હતા અને તેમને પ્રત્યેકે 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નવમા આરોપી રિયાઝ અહમદ અકબર અલી શેખને પુરાવાના અભાવે છોડી મુકાયો હતો. ભારતીય નાગરિક શેખ પર આઠેય આરોપીને સાથ આપવાનો આરોપ હતો.

ઉત્તન સાગરી પોલીસે મળેલી માહિતીને આધારે 26 ફેબ્રુઆરી, 2024ના રોજ ચોકગાંવ જેટ્ટી ખાતેથી આઠેય જણને પકડી પાડ્યા હતા. પોલીસને જોઈ તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ: છ મહિલા સહિત 16 બાંગ્લાદેશી પકડાયા

પકડાયેલા આઠેય જણ પાસેથી મોબાઈલ ફોન્સ અને યુનાઈટેડ નૅશન્સ હાઈ કમિશનર ફૉર રેફ્યૂજી (યુએનએચસીઆર) કાર્ડ્સ મળી આવ્યાં હતાં, જેના પરથી પકડાયેલા મ્યાનમારના નાગરિક હોવાની ખાતરી થઈ હતી.

ટ્રાયલ દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એમ. એન. પાવસેએ દલીલ કરી હતી કે યુએનએચસીઆર કાર્ડ્સ વિદેશી નાગરિકને ભારતમાં નિવાસ કરવાના હક આપતાં નથી.

બચાવ પક્ષના વકીલ સંદીપ યેવલેએ દલીલ કરી હતી કે આરોપીઓ રોહિંગ્યા મુસ્લિમ રેફયૂજી છે, જેઓ મ્યાનમારમાંથી આવીને એક દાયકાથી જમ્મુ-કાશ્મીરના રેફ્યૂજી કૅમ્પમાં રહેતા હતા. આરોપીઓ આજીવિકાની શોધમાં ઉત્તન આવ્યા હતા. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button