આમચી મુંબઈ

મુંબઈનું પ્રદૂષણ ગંભીર; પ્રદૂષણ સ્તર માપવા માટે પાલિકા પાસે એક જ વાન છે, વધુ ત્રણ વાનની દરખાસ્ત

મુંબઈનું પ્રદૂષણ ગંભીર; પ્રદૂષણ સ્તર માપવા માટે પાલિકા પાસે એક જ વાન છે, વધુ ત્રણ વાનની દરખાસ્ત
મુંબઈ: શહેરમાં વધતા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે એવું બહાર આવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પગલાં લેવા માટે પૂરતી સિસ્ટમ નથી. માત્ર એક મોબાઈલ વાન દ્વારા પ્રદૂષણનું સ્તર માપવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં દરરોજ વધી રહેલા પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રદૂષણ ડામવા માટેના જુદા જુદા પગલાં લેવા અને ઉપાયો યોજવા બેઠકો પણ કરવામાં આવી રહી છે. જોકે, મુંબઈ જેવા મોટા શહેરમાં પ્રદૂષણનું સ્તર માપવા માટેની સિસ્ટમ પણ પૂરતી નથી તે સ્પષ્ટ થઈ ગયું છે. હાલમાં, મુંબઈમાં હવાના પ્રદૂષણના સ્તરને માપવા માટે માત્ર એક મોબાઈલ વાન ઉપલબ્ધ છે. આથી મહાનગરપાલિકાએ વધુ ત્રણ વાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. જો કે, તે સેવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતા વર્ષે એપ્રિલ સુધીનો સમય લાગી શકે છે.

મુંબઈમાં હવાની ગુણવત્તા ફરી કથળી હોવાથી, મ્યુનિસિપલ કોર્પોરેશને ઑક્ટોબર, 2023માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને બાંધકામ સાઇટ્સ પર પ્રદૂષણ નિયંત્રણના પગલાં અમલમાં મૂકવા માટે પગલાં લેવાની ચેતવણી આપી હતી. આ પરિપત્રની માર્ગદર્શિકાનો અમલ ન કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા આ ​​કાર્યવાહી કરી રહી છે ત્યારે પ્રદૂષણનું સ્તર એટલે કે હવા ગુણવત્તા સૂચકાંક માપવા માટેની સિસ્ટમનો અભાવ હોવાનું સ્પષ્ટ થયું છે. હાલમાં, મહાનગરપાલિકાએ ભાયખલા, ઘાટકોપર, ગોવંડી, કાંદિવલી, શિવડીમાં પ્રદૂષણના સ્તરને માપવા માટે સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરી છે. પરંતુ પ્રદૂષણનું સ્તર માપતી મોબાઈલ વાન એક જ છે.

જો મ્યુનિસિપલ હેલ્પલાઈન પર પ્રદૂષણ અંગે કોઈ મોટી ફરિયાદ હોય તો પ્રદૂષણ સ્તર માપવા મોબાઈલ વાન તાત્કાલિક રવાના કરવામાં આવે છે, પરંતુ હાલમાં મહાનગરપાલિકા પાસે માત્ર એક જ વાન હોવાથી ફરિયાદોની નોંધ લેવી મુશ્કેલ બની રહી છે. આથી શહેરની સાઈઝને ધ્યાનમાં લઈને વધુ ત્રણ વાન લેવામાં આવશે તેવી માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ આપી હતી. નવી મોબાઈલ વાન ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા જાન્યુઆરી 2024થી શરૂ કરવામાં આવશે. એપ્રિલ 2024 ની આસપાસ પાલિકા પાસે આ વાન આવી જશે. પ્રદૂષણના સ્તરને માપતી મોબાઇલ વાન સિસ્ટમની કિંમત રૂ. 4 કરોડથી રૂ. 14 કરોડ સુધીની છે. રૂ. 4 કરોડની વાન પર પ્રદૂષણના આઠ સ્તર માપી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!