આમચી મુંબઈ

મુંબઈગરાને મળશે મફતમાં વૈદ્યકીય સારવારઃ એપ્રિલથી મુંબઈમાં ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના અમલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ‘આરોગ્ય આપલા દારી’ આ ઝુંબેશ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારી ઘર-ઘરમાં જઈને મુંબઈગરાની આરોગ્યની તપાસ કરવાના છે. તો એપ્રિલ મહિનાથી મુંબઈમાં ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન પૉલિસી’ અમલમાં આવવાની છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વરલીમાં આવેલા પાલિકાના ઍન્જિનિયરિંગ હબના પરિસરમાં આવેલા હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે મુંબઈના નાગરિકોના ઘર નજીક સારવાર ઉપલ્બધ થઈ રહે તે માટે મુંબઈમાં ૨૨૬ ઠેકાણે ‘આપલા દવાખાના’ ચાલુ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી ૪૨ લાખ નાગરિકોએ તેનો લાભ લીધો છે. ‘આપલા દવાખાના’માં દર્દીઓને મફતમાં સારવાર મળે છે અને હવે મુંબઈમાં ‘આરોગ્ય આપલા દારી’ ઝુંબેળ હેઠળ ઘર-ઘરમાં જઈને નાગરિકોની મફતમાં તપાસ કરવામાં આવવાની છે. ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાને એપ્રિલથી અમલમાં મૂકવામાં આવવાની છે. તે માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…