આમચી મુંબઈ

મુંબઈ લોકલ લેટ: ટેકનિકલ ખામી અને વરસાદ બન્યા વિલંબનું કારણ

મુંબઈઃ મુંબઈમાં ઉપનગરીય ટ્રેનો કોઈને કોઈ કારણસર મોડી પડવી એ રોજનું થઈ ગયું છે. આજે મધ્ય રેલવેની લોકલ ટ્રેનવ્યવહાર ટેક્નિકલ ખામીને કારણે ખોરવાઈ ગયો હતો, તેનાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ આવતી લોકલ ટ્રેનો લગભગ પોણો કલાક મોડી દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, મુંબઈમાં હાલ વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં સવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો.

દરમિયાન, થાણે જિલ્લાના કલ્યાણ, ડોમ્બિવલી, બદલાપુર અને અંબરનાથમાં ગઈકાલે બપોરથી ભારે વરસાદ પડી રહ્યો છે. કલ્યાણમાં વરસાદ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જ્યારે મુંબઈમાં હાલમાં વરસાદ બંધ છે. છતાં, વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: ‘મુંબઈ લોકલમાં પણ લોકો મરે છે…’: જેટ એરવેઝના ભૂતપૂર્વ CEOએ એર ઇન્ડિયા-બોઇંગનો બચાવ કર્યો…

મુંબઈ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી રહી છે. દરમિયાન, વરસાદની અસર રેલ ટ્રાફિક પર પણ પડી રહી છે. અલબત્ત, આજે વરસાદથી મધ્ય રેલ્વે પર કોઈ અસર પડી નથી. પરંતુ, ટેકનિકલ ખામીને કારણે અસર થઈ હોવાની માહિતી મળી રહી છે.

કાંજુરમાર્ગ રેલવે સ્ટેશન પર લોકલમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ લોકલ ટિટવાલાથી સીએસએમટી તરફ જઈ રહી હતી. આ દરમિયાન, કાંજુરમાર્ગ રેલવે સ્ટેશન પર આ લોકલ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે આ લોકલ ટ્રેન કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન પર લગભગ 15થી 20 મિનિટ સુધી અટકી ગઈ હતી. આખરે, રેલવે વહીવટીતંત્ર ટેકનિકલ ખામીને દૂર કરવામાં સફળ રહ્યું હતું. આ પછી ટ્રેન વ્યવહાર ફરી શરૂ થયો. પરંતુ પ્રવાસીઓની અગવડ ઓછી થઈ નથી.

આ પણ વાંચો: મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણી લેશો તો…

CSMT તરફ જતી ટ્રેનો અડધા કલાકથી પોણો કલાક મોડી ચાલી રહી છે. આના કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ ટ્રેનો ધીમે ધીમે ચાલતી હોવાથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.

દરમિયાન પશ્ચિમ રેલવેમાં પણ આજે બપોરથી લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતી રહી હતી, જે અંગે કોઈ એનાઉન્સમેન્ટ નહીં કરતા પ્રવાસીઓને હાલાકી પડી હતી. આ અંગે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ટેક્નિકલ ફેઈલ્યોર નહીં, પરંતુ વરસાદને કારણે અમુક વખત ટ્રેનોને રિસ્ટ્રિકેટડ સ્પીડમાં દોડાવવામાં આવે છે, તેથી ટ્રેનો દસથી પંદર મિનિટ મોડી દોડતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button