આમચી મુંબઈ

Mumbai Airport પરથી Fly કરવાના છો?? 30મી માર્ચ સુધી આ કારણે ધાંધિયા રહેશે એરપોર્ટ પર…

Mumbai Airport પરથી Flight લેનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે કારણ કે આગામી દોઢ મહિના સુધી મુંબઈ એરપોર્ટ પર ધાંધિયા જોવા મળશે, જેને કારણે પ્રવાસીઓએ પૂરતી તકેદારી લેવી પડશે.

મળી રહેલી માહિતી પ્રમાણે આજથી એટલે કે 15મી ફેબ્રુઆરીથી 30મી માર્ચ સુધી સેંકડો ફલાઈટ્સ કેન્સલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા એર ટ્રાફિકની ખરાબ પરીસ્થિતિને ધ્યાનમાં લેતા કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં ફ્લાઈટ કેન્સલ કરવાથી લઈને પીક અવર્સ દરમિયાન નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ ઓપરેશન સહિત અન્ય કેટલીક પ્રકારની ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવા જેવા પગલાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ અંગે વધુ માહિતી આપતા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારી બાદ હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને એરપોર્ટ મેનેજમેન્ટ એર ટ્રાફિકને ધ્યાનમાં લઈને યોગ્ય અને પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે, જેને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ રહી છે.


મંત્રાલયે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે એરપોર્ટ ઓપરેટરે એર ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે કોઈ પણ પગલાં લીધાં નથી જ્યારે કે તેમણે એર ટ્રાફિક પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત અને નિયમન કરવાના પ્રયાસો કરવા જોઈએ. પરંતુ, એવું કરવામાં એરપોર્ટ ઓથોરિટી નિષ્ફળ રહી છે જેને કારણે, અમને આ બાબતે ફરજિયાત કાર્યવાહી કરવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ એરપોર્ટનું સંચાલન મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) દ્વારા કરવામાં આવે છે. એરપોર્ટના રનવે પર ક્ષમતાથી વધુ દબાણ આવી રહ્યું છે અને પરિણામે પર એર ટ્રાફિકમાં અજાણતાં અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. આ કારણસર ફ્લાઈટ્સને લગભગ 40-60 મિનિટથી વધુ સમય સુધી એરપોર્ટ પર લેન્ડ કરી શકતી નથી અને જેને કારણે તેને ઉપર જ હવામાં ઉડવાની ફરજ પડે છે.


આખી ઘટના વિશે વિસ્તારથી સમજાવતા મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે એક એરક્રાફ્ટ પ્રતિ કલાક સરેરાશ 2000 કિલોગ્રામ ફ્યુઅલનો ઉપયોગ કરે છે, જેને કારણે ફ્યુઅલની સાથે સાથે પૈસા અને સમય બંને વસ્તુનો બગાડ થાય છે, જેનો બોજો પ્રવાસીઓ પર નાખવામાં આવે છે. એરપોર્ટની કામગીરીની કાર્યક્ષમતા પર પણ આ સમસ્યાને ઉકેલવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા એક વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે એરપોર્ટ પર સવરે 8થી 11 અને સાંજે પાંચથી રાતે 8 વાગ્યા પછી એટલે કે 6 કલાક સૌથી વધુ હાઈ ઈન્ટેન્સિટી રનવે ઓપરેશન્સ (HIRO) જોવા મળ્યા હતા. આ છ કલાકમાં જ દિવસના બાકીના 18 કલાક જેટલું હવાઈ ટ્રાફિક જોવા મળ્યું હતું. ઉપરોક્ત સ્લોટ સિવાય, સામાન્ય ઉડ્ડયન અને લશ્કરી એરક્રાફ્ટ કામગીરીને પણ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિના મંજૂરી આપવામાં આવી છે.


મુંબઈ એરપોર્ટ પર એર ટ્રાફિક વધવાના કારણોની વાત કરીએ તો તેમાં મર્યાદિત સમયના માર્જિન સાથે વધારાના સ્લોટ વિતરણ, એરલાઇન્સ તરફથી સ્લોટનું પાલન ન કરવું અને પીક અવર્સ દરમિયાન બિન-નિર્ધારિત કામગીરીનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ કાર્યવાહી જાહેર હિતમાં એરસ્પેસ સલામતી, ઓપરેશનલ કાર્યક્ષમતા અને મુસાફરોના સંતોષના દૃષ્ટિકોણથી કરવામાં આવી છે.


મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારને અંદાજો છે કે એરપોર્ટ ઓપરેટરો અને એરલાઇન્સની બંનેની જરૂરિયાતોને સંતુલિત કરવા માટે આવશ્યક પગલાં લેવાની સાથે સાથે મુંબઈ એરપોર્ટ પરથી ટેક ઓફ અને લેન્ડ કરનારા પ્રવાસીઓની સુરક્ષા અને સંતોષ સુનિશ્ચિત કરવાની તેમની ફરજ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…