આમચી મુંબઈમહારાષ્ટ્ર

…એટલે રાજ્યમાં 286 એફઆઈઆર રદ કરવાનો ગૃહ વિભાગે આપી મંજૂરી

મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણ (ક્વોટા)ની માંગણીને લઈને અનેક જગ્યાએ આંદોલને હિંસક રૂપ લીધું હતું. આ આંદોલમાં અનેક વ્યક્તિ સામે હિંસા અને તોડફોડ કરવા બદલ અનેક આંદોલનકારીઓ સામે ગુનાઓ નોંધ્યા હતા ત્યાર બાદ મરાઠા આરક્ષણ આંદોલનના પ્રધાન મનોજ જરાંગે પાટિલે આ બધી એફઆઇઆરને રદ કરવાની માંગણી કરી હતી, તેથી આંદોલનના સમયે નોંધવામાં આવેલા કુલ ગુનામાંથી લગભગ ૨૮૬ જેટલા ગુના રદ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

એની સાથે જ કોરેગાવ ભીમામાં ફાટી નીકળેલી હિંસાના પણ ૩૧૭ જેટલા કેસ રદ કરવાનો આદેશ આપ્યા હોવાનું જણાવાયું હતું. રદ કરવામાં આવેલા દરેક ગુનાઓ બાબતે દરેક માહિતી રાજ્યના શિયાળુ અધિવેશનમાં આપવામાં આવશે.
રાજ્ય સરકારે ૨૦૨૨માં સામાજિક અને રાજકીય આંદોલન વખતે નોંધવામાં આવેલા ગુનાઓને રદ કરવાની ઘોષણા કરી હતી. માર્ચ ૨૦૨૩ સુધી નોંધાયેલા ગુનાને પાછું ખેચવા એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ મરાઠા આરક્ષણ અને કોરેગાવ ભિમાની હિંસા બદલ નોંધવામાં આવેલા ગુનાઓને રદ કરવાં માટે પણ એક સમિતિ બનાવવામાં આવી હતી.

આ સમિતિએ મરાઠા આરક્ષણમાં નોંધવામાં આવેલા કુલ ગુનાઓમાથી ૩૨૪ ગુના રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરેગાવ ભિમાની હિંસામાં ૩૧૭ ગુનાને રદ કરવાની મંજૂરી મળી છે. પણ આ અરજીમાંથી ૫૩ જેટલા ગુનાઓને પાછા ખેંચવાની પરવાનગીને નકરવામાં આવી છે.

આંદોલન વખતે થયેલી હિંસામાં નોંધાયેલા ગુનાઓને રદ કરવા માટે સરકાર દ્વારા જીઆર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સામાજિક અને રાજકીય આંદોલન વખતે દાખલ કરવામાં આવેલા ગુનાઓને જો ઘટનામાં કોઈપણ પ્રકારની જાન હાની કે પ્રાઇવેટ અથવા પબ્લિક પ્રોપર્ટીને પાંચ લાખ કરતાં વધારેનું નુકસાન ન થયું હોવું જોઈએ એવી શરતો આ જીઆરમાં મૂકવામાં આવી હતી.

વિધાનસભ્ય અને સાંસદો સામે નોંધાયલા ગુનાઓને રદ કરવા સુપ્રીમ કોર્ટની પરવાનગીની જરૂરી હતી, પણ હવે કોઈ પણ પરવાનગીની સિવાય આ ગુનાઓ રદ કરવામાં આવશે. આ શરત સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ લેવામાં આવ્યો હોવાનું સરકારે ચુકાદામાં જણાવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…