આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભાની ચૂંટણી 2024: રાવેરની બેઠક પર ભાજપમાં આંતરવિગ્રહ

રક્ષા ખડસેને ઉમેદવારી આપવામાં આવી તેના વિરોધમાં 200 જેટલા પદાધિકારીઓનાં રાજીનામાં

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા લાગ્યા છે અને ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવતાં જ પાર્ટીમાં રહેલો આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની ઓળખ આપવાનો પ્રયાસ કરી રહેલી બીજેપીમાં પણ હવે ગેરશિસ્તપુર્ણ વર્તન જોવા મળી રહ્યું છે. પાર્ટી મોવડી મંડળ દ્વારા જળગાંવના રાવેરમાંથી ગયા વખતે વિજય હાંસલ કરનારી રક્ષા ખડસેને ફરી એક વખત ઉમેદવારી આપવામાં આવી તેના વિરોધમાં લગભગ 200થી વધુ પદાધિકારીઓએ સામુહિક રાજીનામાં આપ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

રક્ષા ખડસે ભાજપના સંસદસભ્ય હોવા છતાં એનસીપીના કાર્યકર્તાને વધુ મદદ કરે છે એવો આક્ષેપ કરીને આ લોકોએ પોતાના રાજીનામાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન અને સ્થાનિક નેતા ગિરીશ મહાજન તેમ જ જિલ્લાધ્યક્ષ અમોલ જાવળેને મોકલી આપ્યા છે. રાવેર મતદારસંઘમાં આવતા વરણગાંવ ખાતે પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તા, બૂથ પ્રમુખો અને સુપર વૉરિયરની બેઠક થઈ હતી, ત્યારબાદ રાજીનામાં આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

ભાજપે કોંગ્રેસનું પુસ્તક રિલીઝ કર્યું અને ટીકા રાઉતને કરવી પડી, શું કહ્યું?

રક્ષા ખડસેને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી તેનો વિરોધ યાવલ, રાવેર, ચોપડા તાલુકામાં શરૂ થયો હતો અને હવે એની ઝાળ ભૂસાવળ, બોદવડ અને મુક્તાઈનગર સુધી પણ પહોંચી છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગિરીશ મહાજન છે કારણ?
રક્ષા ખડસે સામે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓની નારાજગીનું મોટું કારણ સ્થાનિક નેતા ગિરીશ મહાજન પ્રત્યેની નિષ્ઠા હોવાનું જાણવા મળ્યું છે. જળગાંવના જ્યેષ્ઠ રાજકીય નીરિક્ષક કમલાકર વાણીએ મુંબઈ સમાચારને કહ્યું હતું કે વાસ્તવમાં રાજીનામાં આપનારા બધા ગિરીશ મહાજનના કટ્ટર સમર્થકો છે. તેમનું કહેવું છે કે રક્ષા ખડસેના સસરા એકનાથ ખડસે અત્યારે એનસીપી-શરદ પવાર પાર્ટીમાં છે અને તેઓ અનેક વખત બીજેપીના નેતા ગિરીશ મહાજન માટે અપમાનાસ્પદ ભાષામાં વાત કરે છે, રક્ષા ખડસે બીજેપીના સંસદસભ્ય હોવા છતાં તેમણે એકેય વખત પોતાના સસરાના નિવેદનોનું ખંડન કર્યું નથી કે ટીકા કરી નથી. આ મુદ્દે સ્થાનિક બીજેપીના કાર્યકર્તાઓમાં નારાજગી છે.

બે ટર્મના અનેક સંસદસભ્યોની ઉમેદવારી કપાઈ તો રક્ષા ખડસેની કેમ નહીં?
બીજેપીના ભૂતપૂર્વ નગરાધ્યક્ષ સુનીલ કાળેએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે બીજેપીએ આ વખતે બે ટર્મ સંસદસભ્ય હોય એવા અનેક લોકોની ટિકિટ આખા દેશમાં કાપી નાખી છે. મુંબઈના ગોપાલ શેટ્ટીની ઉમેદવારી પણ આ જ કારણસર કાપવામાં આવી હતી. સ્થાનિક સ્તરે અમારી પાસે એવા અહેવાલો હતા કે રક્ષા ખડસેને પણ આ વખતે રિપીટ કરવામાં આવશે નહીં, પરંતુ ફરી તેમને જ ઉમેદવારી આપવામાં આવી હોવાથી લોકોમાં નારાજગી હતી એટલે અમે સામુહિક રાજીનામાં આપી દીધા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…