શોકિંગઃ મુંબઈમાં કેન્સર પીડિત દાદીને પૌત્ર કચરામાં છોડી ગયો

મુંબઈ: દરેક વ્યક્તિના જીવનમાં દાદા-દાદી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળપણ તેમની વાર્તાઓ વિના અધૂરું હોય છે. દરેક બાળક પોતાના દાદા-દાદીના ખોળામાં માથું રાખીને રમુજી અને રસપ્રદ બાળવાર્તાઓ સાંભળીને મોટું થાય છે, પરંતુ મુંબઈમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો.
પૌત્ર ઘડપણમાં દાદાનો મિત્ર હોય છે. દરેક બાળક તેની દાદીના ખોળામાં સુરક્ષિત મહેસુસ કરે છે, પણ વિચારો કે કોઈ વ્યક્તિ મોટો થયા પછી તેની દાદીને ફક્ત એટલા માટે કચરામાં છોડી દે છે કારણ કે તેમને કેન્સર થયું છે! આ માત્ર કલ્પના નથી પણ વાસ્તવમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે દાદીને તેના પૌત્રની સૌથી વધુ જરૂર હતી, ત્યારે પૌત્રે માનવતાને નેવે મૂકી દીધી.
આ પણ વાંચો: Superstition: બ્લડ કેન્સરથી પીડિત 5 વર્ષના બાળકને પરિવારે ગંગામાં ડૂબાડતા મોત, પરિવારજનોની ધરપકડ
શનિવારે સવારે પોલીસને મુંબઈના આરે કોલોની વિસ્તારમાં રસ્તા પર કચરાના ઢગલા પાસે 60 વર્ષીય યશોદા ગાયકવાડ નામની એક મહિલા મળી, જેની હાલત ખૂબ જ ખરાબ હતી. આ મહિલા ત્વચાના કેન્સરથી પીડિત છે.
એવું જાણવા મળ્યું છે કે તેના પૌત્રએ તેને આ હાલતમાં કચરાપેટી પાસે છોડી દીધી હતી. પોલીસે શનિવારે સાંજે 5:30 વાગ્યે વૃદ્ધ મહિલાને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેમની સ્થિતિને જોતા ઘણી હોસ્પિટલોએ તેમને દાખલ કરવાનો નનૈયો ભણ્યો હોવાથી તેમને દાખલ કરવામાં વિલંબ થયો હતો. મહિલાએ પોતે પોલીસને જાણ કરી કે તેનો પૌત્ર તેને કચરાપેટી પાસે છોડી ગયો છે.
આ પણ વાંચો: કેન્સરગ્રસ્ત પત્ની છે થોડા મહિનાની મહેમાન… એની સાથે રહેવા માંગું છુ’, તો શું નરેશ ગોયલને મળશે જામીન?
તેમણે મુંબઈમાં મલાડ અને કાંદિવલીમાં બે સરનામાં આપ્યા છે, જ્યાં મહિલાના સંબંધીઓની ઓળખ માટે મુંબઈ પોલીસની ટીમો મોકલવામાં આવી છે. મહિલાના સંબંધીઓને શોધવા માટે તેના ફોટોગ્રાફ બધા પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા છે.
વૃદ્ધ મહિલાની હાલત જોઈને ભલભલાનું હૃદય પીગળી જશે અને એક જ પ્રશ્ન થશે કે લોકો આટલા પથ્થર દિલના કઈ રીતે હોઈ શકે કે, કે જેની આંગળી પકડીને પૌત્ર મોટો થયો હતો, તેને એકલા મરવા માટે છોડી ગયો?