આમચી મુંબઈમહારાષ્ટ્ર

સરકાર સકારાત્મક, આંદોલનની આવશ્યકતા નથી: એકનાથ શિંદેની અપીલ

મુંબઈ: મરાઠા સમાજને અનામતનો લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. ગઈકાલે પણ સરકારનું વલણ આ જ હતું અને આજે પણ સરકાર તેના પર અકબંધ છે. સરકાર તમારી જ છે અને તે હાથ ટૂંકા કરવા માગતી નથી. સરકાર કામ ન કરતી હોય તો આંદોલન યોગ્ય છે, પરંતુ સરકાર કામ કરી રહી હોવાથી આંદોલનની આવશ્યકતા નથી, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું.

પોતાના વતન સાતારામાં તેમણે કહ્યું હતું કે સરકાર આરક્ષણ આપવા માટે કામ કરી રહી છે. મનોજ જરાંગે-પાટીલને વિનંતી પણ કરવામાં આવી છે. સરકાર અનામત આપવા માટે કામ કરી રહી છે. આશ્ર્વાસન નહીં જે આપવાનું છે તેનું જ કામ અત્યારે ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારને સહકાર કરવી એવી અપીલ તેમણે કરી હતી.

સરકાર અનામત આપવા માટે કટિબદ્ધ છે. આંદોલન કરવાની કોઈ આવશ્યકતા નથી. સરકાર સકારાત્મક ન હોય ત્યારે આંદોલન કરવું યોગ્ય છે, આથી સરકાર સકારાત્મક હોય તો સરકારને સહકાર કરવાની આવશ્યકતા છે. સરકાર તમારી જ છે. બધા જ મરાઠા બાંધવોને મુખ્ય પ્રધાન તરફથી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાજની અનામતને નુકસાન ન કરતાં આરક્ષણ આપવાનું છે. આથી બેકવર્ડ કમિશનનું કામ પણ ચાલી રહ્યું ચે. 40,000 લોકો ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. કુણબી નોંધ મળે તે મુજબ પ્રમાણપત્રો આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, એવી પણ માહિતી એકનાથ શિંદેએ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…