આમચી મુંબઈ

શોકિંગઃ ચાર્જ સંભાળ્યાના મહિનામાં મધ્ય રેલવેના નવા જનરલ મેનેજરનું નિધન

મુંબઈ: સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર તરીકે એક મહિના પહેલા જ ચાર્જ સાંભળનાર વિજય કુમારનું મંગળવારે વહેલી સવારે મુંબઈમાં અવસાન થયું હતું. આ અહેવાલને કારણે રેલવેના અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. પ્રાથમિક તબીબી તપાસમાં મૃત્યુનું કારણ ઊંઘમાં હૃદયરોગનો હુમલો હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કુમારને તાત્કાલિક મુંબઈની જસલોક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે પંજાબ એન્જિનિયરિંગ કોલેજ/ચંદીગઢમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. કર્યું હતું. 35 વર્ષની તેમની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે ઉત્તરી રેલ્વે, ઉત્તર પશ્ચિમ રેલવે, રેલવે બોર્ડ, RDSO અને NHSRCL વિવિધ જગ્યાએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.

આપણ વાચો: તમને ખબર છે સેન્ટ્રલ રેલવેમાં ટિકિટ લઈ પ્રવાસ કરશો તો રૂ. દસ હજારનું ઈનામ મળશે?

1988 બેચના ભારતીય રેલવે સેવા ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ (IRSME) અધિકારી કુમારે 1 ઓક્ટોબરના રોજ મધ્ય રેલવેના જનરલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સેન્ટ્રલ રેલ્વેમાં જોડાતા પહેલા, કુમારે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ (CLW)ના જનરલ મેનેજર તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે 2024-25માં રેકોર્ડ 700 લોકોમોટિવનું ઉત્પાદન કર્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર CLWએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 777 ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક તરફ પ્રથમ છ મહિનામાં 417 લોકોમોટિવ મોકલ્યા હતા. તેમણે સિંગાપોર અને મલેશિયામાં એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને હૈદરાબાદના ISB ખાતે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો હતો.

આપણ વાચો: મેગા બ્લોકને કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવા ખોરવાતા પ્રવાસીઓ બેહાલ…

અધિકારીઓએ જણાવ્યું હતું કે કુમારે તેમના કાર્યકાળ દરમિયાન રેલ્વે બોર્ડમાં સેમી-હાઇ-સ્પીડ કોરિડોર વિકાસમાં ભૂમિકા ભજવી હતી અને સ્પેનિશ-ડિઝાઇન કરેલી ટેલ્ગો ટ્રેનોના સ્પીડ ટ્રાયલનું નિરીક્ષણ કર્યું હતું.

તેમના અચાનક અવસાનથી રેલવેને આઘાત લાગ્યો છે. તેમના સાથીદારો અને અધિકારીઓએ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપનારા એક અત્યંત આદરણીય અને સ્વપ્નદ્રષ્ટા અધિકારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button