ગણેશોત્સવ દરમિયાન કોંકણમાં 5,000થી વધુ એસટી બસ દોડાવાશે… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગણેશોત્સવ દરમિયાન કોંકણમાં 5,000થી વધુ એસટી બસ દોડાવાશે…

મુંબઈ: ગણેશોત્સવ ઉત્સવ માટે કોંકણ જતા મુંબઈગરાઓ માટે રાજ્ય પરિવહન નિગમ (એસટી) એ વધારાની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. ૨૩ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન પાંચ હજાર વધારાની બસો ચલાવવાની જાહેરાત પરિવહન પ્રધાન અને એસટી નિગમના ચેરમેન પ્રતાપ સરનાઈકે કરી છે.

મુંબઈમાં રહેતા કોંકણવાસીઓ માટે ગણેશોત્સવ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને ગણેશોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો કોંકણમાં તેમના વતને જાય છે. તેમની મુસાફરી સરળ બનાવવા માટે આ વધારાની બસ ચલાવવામાં આવશે.

આ પણ વાંચો: ગણેશોત્સવમાં કોંકણ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર! આવતીકાલથી બુકિંગ શરૂ

ગણેશોત્સવ પ્રસંગે વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નિગમના ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. માધવ કુસેકર અને એસટીના તમામ એકાઉન્ટ હેડની હાજરીમાં સરનાઈક દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

૨૩ ઓગસ્ટથી મુંબઈ, થાણે, પાલઘરના મુખ્ય બસ સ્ટેશનો પરથી વધારાની બસો શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે ૪,૩૦૦ બસ શરૂ કરવામાં આવી હતી. ગણેશોત્સવ દરમિયાન એસટી ટ્રાફિક સુગમ રહે તે માટે, વરિષ્ઠ એસટી અધિકારીઓની દેખરેખ હેઠળ બસ સ્ટેશનો અને બસ સ્ટોપ પર કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button