ભાજપને આંચકો: સોલાપુરનાં પૂર્વ મેયર શિંદેની શિવસેનામાં જોડાયા

સોલાપુર: સોલાપુરમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને મોટો ઝટકો આપ્યો છે. ભાજપનાં પ્રથમ મેયર શોભા બંશેટ્ટી શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. આ પ્રવેશને કારણે સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે મુકાબલો થવાની શક્યતા છે.
શોભા બંશેટ્ટીએ અગાઉ ભાજપના ધારાસભ્ય વિજયકુમાર દેશમુખ સામે વિધાનસભા ચૂંટણી લડી હતી. હવે, શિંદેની શિવસેનામાં જોડાવવાથી રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. તેમના પક્ષમાં જોડાવવાના સમયે એનસીપી શરદ ચંદ્ર પવારની પાર્ટીના ધારાસભ્ય નારાયણ પાટીલ અને કોંગ્રેસના શહેર પ્રવક્તા પ્રો. અશોક નિમ્બર્ગી હાજર હતા.
૨૦૧૭માં સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા પર આવ્યું. તે સમયે શોભા બંશેટ્ટી મેયર બન્યા હતા. તેઓ એક વરિષ્ઠ કોર્પોરેટર હતા. જોકે, પાછળથી તેમના ભાજપના ધારાસભ્ય વિજયકુમાર દેશમુખ સાથે મતભેદ થયા. આ કારણે તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ છોડી દીધી. તેમણે ધારાસભ્ય વિજયકુમાર દેશમુખ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.