ઓડિશામાં વિચિત્ર રોડ અકસ્માતમાં પાંચના મોત, 12 ઘાયલ

બરહામપુર: ઓડિશાના ગંજામ જિલ્લામાં આજે સવારે બસ સાથેની ટક્કર બાદ એક ટેન્કર રસ્તાની બાજુમાં આવેલા ચાના સ્ટોલ પર પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત હિંજિલી નજીક સમરઝોલામાં નેશનલ હાઈવે 59 પર થયો હતો. ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે બસ ભવાનીપટનાથી બરહામપુર તરફ જઈ રહી હતી જ્યારે ટેન્કર અસ્કા તરફ જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ટી સ્ટોલ પર બેઠેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમણે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા જ્યોતિ પારિદાએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.