લોનાવલાના એકવીરા આઈ મંદિરમાં 7 જુલાઈથી દર્શનાર્થીઓ માટે ડ્રેસ કોડ લાગુ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

લોનાવલાના એકવીરા આઈ મંદિરમાં 7 જુલાઈથી દર્શનાર્થીઓ માટે ડ્રેસ કોડ લાગુ

મુંબઈઃ દેશના અને મહારાષ્ટ્રના ઘણા મંદિરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં મુલાકાતીઓ માટે ડ્રેસ કોડ લાદ્યા છે. હવે, મહારાષ્ટ્રના લોનાવલામાં એકવીરા આઈ મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ ૭ જુલાઈથી શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરશે, જેમાં પશ્ચિમી પોશાક અને ખુલ્લા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

કાર્લા એકવીરા આઈ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને સાંસદ સુરેશ મ્હાત્રેના કાર્યાલય તરફથી મળેલી એક યાદી મુજબ, શુક્રવારે મંદિરના ટ્રસ્ટી મંડળની બેઠક દરમિયાન ડ્રેસ કોડ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો ડ્રેસ કોડ યોગ્ય છે!

કાર્લામાં એકવીરા આઈ મંદિર લાખો લોકો માટે, ખાસ કરીને આગરી અને કોળી સમુદાયના લોકો માટે શ્રદ્ધાનું સ્થળ છે. જોકે, ખુલ્લા અને અયોગ્ય કપડાં પહેરીને આવતા ભક્તો દ્વારા મંદિરની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, એમ મ્હાત્રેએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ટ્રસ્ટી મંડળે આ મુદ્દાને ઉકેલવા માટે ડ્રેસ કોડ લાગુ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે, જે 7 જુલાઈથી અમલમાં આવશે. નવા નિયમોમાં શોર્ટ્સ, મીની સ્કર્ટ્સ, પશ્ચિમી પોશાકો અને ખુલ્લા કપડાં અને ફાટેલા જીન્સ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ પ્રકાશનમાં જણાવાયું છે.

પ્રકાશન અનુસાર, મહિલા ભક્તો સાડી, સલવાર-કુર્તા અને અન્ય પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેરી શકે છે, જ્યારે પુરુષો ધોતી, કુર્તા-પાયજામા, પેન્ટ અને શર્ટ, ટી-શર્ટ અને અન્ય પરંપરાગત વસ્ત્રો પહેરી શકે છે.
(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button