અમદાવાદઆમચી મુંબઈ

વિમાન દુર્ઘટના પર અભિનેત્રીની પ્રતિક્રિયાથી સોશિયલ મીડિયામાં થયો હોબાળો

મુંબઈ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ દુ:ખદ ઘટનામાં લગભગ 300 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને મેડિકલ હોસ્ટેલમાં હાજર 56 લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો, રાજનેતાઓ અને કલાકારો દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાને લઈ દેશના મોટા કલાકારો અને રાજનેતાઓ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વચ્ચે ટીવીની અભિનેત્રી રીમ શેખની પ્રતિક્રિયા ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે જેના કારણે તે ટ્રોલિંગનો શિકાર બની છે.

12 જૂનના અમદાવાદમાં દાયકાની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાનમાં ક્રૂ મેમર સહિત 242 લોક હતા. આ પ્લેન શહેરના મેઘાણીનગરના મેડિકલ હોસ્ટેલ પર તૂડી પડ્યું હતું. આ ઘટનામાં લગભગ 300 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના અંગે જ્યારે ટીવી એક્ટ્રેસ રીમ શેખને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમની પ્રતિક્રિયાએ લોકોને નિરાશ કર્યા. રીમે હસતાં-હસતાં જણાવ્યું કે તેને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

આપણ વાંચો:  માહિમમાં ફૂડ સ્ટોલમાં લાગેલી આગમાં એકનું મોત: એસી-રિપેરિંગ કંપનીના માલિકની ધરપકડ

અશોક પંડિતનો ગુસ્સો
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે રીમ શેખની આ પ્રતિક્રિયા પર ગુસ્સો વ્યક્ત કરતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેમણે રીમને અસંવેદનશીલ ગણાવી. તેમણે કહ્યું કે રીમનું જીવન ફક્ત વેનિટી વેન અને મેકઅપની આસપાસ ફરે છે, અને આવી દુર્ઘટના વિશે અજાણ હોવું શરમજનક છે. તેમણે રીમને આ માટે માફી માંગવા જણાવ્યું. જોકે, આ વીડિયો શેર કર્યા બાદ તેને ડિલીટ કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
રીમ શેખની આ પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. યુઝર્સે રીમના અજ્ઞાન અને બેજવાબદારીપણાની ટીકા કરી છે. અશોક પંડિતે વીડિયોમાં કહ્યું, “શું આ શક્ય છે કે કોઈને આટલી મોટી દુર્ઘટનાની જાણ ન હોય? રીમનું જીવન હજુ વેનિટી વેનની બહાર નથી નીકળ્યું.” આ ઘટનાએ એકવાર ફરીથી સેલિબ્રિટીઝની સામાજિક જવાબદારી પર ચર્ચા શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button