આમચી મુંબઈમહારાષ્ટ્ર

સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે પુલનું જોડાણ પૂરુંઃ પહેલી જુલાઈથી ખુલ્લા મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા સી.ડી.બરફીવાલા ફ્લાયઓવરના ભાગને ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવરના સમાંતર લાવવાનું કામ આખરે પૂરું કરવામાં સફળતા મળી છે અને હવે પહેલી જુલાઈ, ૨૦૨૪થી આ બંને પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની પાલિકાની યોજના છે.

ગોખલે બ્રિજ અને સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર વચ્ચે ખાસ્સુ એવું અંતર હતું. બંને પુલને એક લેવલ પર લાવવા માટે બે મહિનાથી કામ ચાલી રહ્યું હતું. બંને પુલને એક લેવલ પર લાવવા માટે હાઈડ્રોલિક જૅક અને ‘એમએસ સ્ટુલ પૅકિંગ’નો ઉપયોગ કરીને જોડવાનું અત્યંત પડકારજનક કામ પાલિકા દ્વારા તાજેતરમાં પૂરું કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો