આમચી મુંબઈ

કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકની સ્થિતિ વિશે વાત કરવી જોઈએ: શિવસેના (યુબીટી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)એ શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકની સ્થિતિ વિશે વાત કરવી જોઈએ અને અમદાવાદમાં પાર્ટીની તાજેતરની બેઠકમાં વિપક્ષી જોડાણ વિશેના પ્રશ્ર્નોના જવાબ શોધવા જોઈતા હતા.

પાર્ટીના મુખપત્ર ‘સામના’માં એક તંત્રીલેખમાં સેના (યુબીટી)એ નિર્દેશ કર્યો હતો કે કોંગ્રેસે અમદાવાદની બેઠકમાં ફક્ત પોતાના વિશે જ વાત કરી હતી અને ઇન્ડિ ગઠબંધન ચર્ચામાં ક્યાંય નહોતું.

‘લોકસભા ચૂંટણી પછી ઇન્ડિ બ્લોક ક્યાં છે તે અંગે પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસે તેના અમદાવાદ સત્રમાં આનો જવાબ આપવાની જરૂર હતી,’ એમ તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે. ‘ગઠબંધનનું શું થયું? શું તે જમીનમાં દટાઈ ગયું કે હવામાં ગાયબ થઈ ગયું? આ પ્રશ્ર્નનો જવાબ આપવાની જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષની છે,’ એમ તેમાં કહેવામાં આવ્યું છે.

આપણ વાંચો: શિવસેના (યુબીટી)ના સાંસદો વક્ફ બિલ વિરુદ્ધ મતદાન કરવામાં ખચકાટ અનુભવતા હતા, ઉદ્ધવના ફોન પછી નરમ પડ્યા: સંજય નિરૂપમ

કોંગ્રેસે 8-9 એપ્રિલે ગુજરાતમાં તેનું અધિવેશન યોજ્યું હતું, જ્યાં તે બે દાયકાથી સત્તાથી દૂર છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું હતું.

સેના (યુબીટી) એ બિહાર, ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં ચૂંટણી માટે કોંગ્રેસનું વલણ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. અથવા શું પાર્ટી ફરીથી હારનું સ્વાગત કરશે? એમ તેમાં પૂછવામાં આવ્યું હતું. બિહારમાં, રાષ્ટ્રીય જનતા દળ એક વરિષ્ઠ ભાગીદાર છે, જ્યારે ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળમાં, ઈન્ડિ ગઠબંધનના ભાગીદારો આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં હશે.

‘કોંગ્રેસે ગુજરાતમાં તેનું અધિવેશન યોજ્યું હતું, પરંતુ તેનાથી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં કોઈ સફળતા મળી ન હતી, કારણ કે પાર્ટીએ 2014 પછી પશ્ર્ચિમના રાજ્યમાં એક બેઠક જીતી હતી,’ એમ સેના યુબીટીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યે ફડણવીસ પર ધારાશિવના 250 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો રોકવાનો આરોપ લગાવ્યો

તેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસને મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં પ્રયાસો કરવાની જરૂર છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પાર્ટીને સફળતા મળી હતી, પરંતુ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં તેનો શરમજનક પરાજય થયો હતો.

‘ભાજપના કૌભાંડો આ હાર માટે કોંગ્રેસના આંતરિક મુદ્દાઓ જેટલા જ જવાબદાર છે. તેમણે આ અંગે વિચારણા કરવી પડશે,’ એમ તંત્રીલેખમાં ઉમેર્યું હતું. કોંગ્રેસે સરમુખત્યારશાહી સામે લડવામાં આગેવાની લેવી પડશે, એમ સેના (યુબીટી) એ જણાવ્યું હતું.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા, જ્યાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો, સેના (યુબીટી) એ કહ્યું કે કેટલાક કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી માટે રસ્તો સાફ છે.

જો કોંગ્રેસ અન્ય રાજ્યોમાં ઇન્ડિ બ્લોકના ભાગીદારો સામે લડવાની આ રણનીતિનો ઉપયોગ કરે છે, તો તે ફક્ત ભાજપને જ મદદ કરશે, એમ તેમાં જણાવ્યું હતું. ‘આપણે ભાજપને હરાવવાનું છે, મિત્રોને નહીં,’ એમ પાર્ટીએ જણાવ્યું હતું. સેના યુબીટીએ કહ્યું કે કોંગ્રેસ અને આપ વચ્ચેનું જોડાણ ફાયદાકારક સાબિત થયું હોત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button