મુંબઈમાં ચિકનગુનિયાનો પ્રકોપ: કેસમાં 200 ટકાનો વધારો, WHO એ વ્યક્ત કરી ચિંતા | મુંબઈ સમાચાર

મુંબઈમાં ચિકનગુનિયાનો પ્રકોપ: કેસમાં 200 ટકાનો વધારો, WHO એ વ્યક્ત કરી ચિંતા

મુંબઈમાં ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 265 કેસ નોંધાયા છે, જે 2024ના સમાન સમયગાળામાં ફક્ત 46 હતા. મહારાષ્ટ્રમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ગયા વર્ષે 1,189 કેસ સામે આ વર્ષે 1,512 કેસ નોંધાયા છે.

પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહના જણાવ્યા અનુસાર, મે મહિનામાં વરસાદની શરૂઆતથી વેક્ટર-જન્ય રોગોના ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, જેના કારણે આ વધારો થયો છે.

ચીનમાં પણ ચિકનગુનિયાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જૂનના અંતથી અત્યાર સુધીમાં આશરે 7,000 કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠને દક્ષિણ એશિયામાં ચિકનગુનિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચિકનગુનિયા વાયરસને કારણે થાય છે, જે ચેપગ્રસ્ત માદા મચ્છરો, મુખ્યત્વે એડીસ એજીપ્તી અને એડીસ આલ્બોપિક્ટસના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસ દરમિયાન સક્રિય હોય છે અને ડેન્ગ્યુ અને ઝિકા વાયરસ પણ ફેલાવી શકે છે. એકંદરે મૃત્યુદર ઓછો છે, પરંતુ ગંભીર લક્ષણો શિશુઓ અને વૃદ્ધોને અસર કરી શકે છે.

આ પણ વાંચો: મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં વધારો

ચિકનગુનિયાના લક્ષણો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જ હોય છે. જેમાં સામાન્ય રીતે અચાનક તાવ આવવો, સાંધામાં તીવ્ર દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, થાક અને શરીર પર ચકામાનો સમાવેશ થાય છે. ચેપ સામાન્ય રીતે પોતાની જાતે જ ઠીક થઈ જાય છે, પરંતુ સાંધાનો દુખાવો લાંબો સમય, ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ચાલુ રહે છે જે દર્દીને અશક્ત કરે છે. તાવ અને સાંધાના દુખાવામાં રાહત માટે સારવાર આપવામાં આવે છે, કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવાઓ ઉપલબ્ધ નથી. બે રસીઓ મંજૂર કરવામાં આવી છે પરંતુ તેનો વ્યાપક ઉપયોગ થતો નથી.

મોટે ભાગે ચોમાસા પછી જ્યારે મચ્છરોની વસ્તી વધુ હોય ,ત્યારે ચિકનગુનિયા ચક્રીય અને ઋતુગત પેટર્ન પ્રમાણે, દર ચારથી આઠ વર્ષે રોગચાળો ફેલાય છે. નિવારક પગલાંઓમાં સંગ્રહિત પાણીનો યોગ્ય નિકાલ કરીને,અને લાંબી બાંયના કપડાં પહેરવા, મચ્છરોના પ્રજનન સ્થળો ઘટાડવાનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિક સત્તાવાળાઓ જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યા છે, ગંદા પાણી સામે કાયદા લાગુ કરી રહ્યા છે અને પ્રજનન સ્થળોને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button