આમચી મુંબઈ

એલર્ટઃ મહારાષ્ટ્રમાં નવી બીમારીનું સંકટ, પ્રશાસન બન્યું સતર્ક

નાગપુર: મહારાષ્ટ્રમાં વધુ એક નવી બીમારીનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. છેલ્લા અનેક દિવસોથી મરઘીનાં મોત થવાથી પ્રશાસન સાથે પોલ્ટ્રીફાર્મ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. નાગપુર જિલ્લામાં આવેલા એક સરકારી પોલ્ટ્રીફાર્મમાં 2650 કરતાં પણ વધુ મરઘીઓનું મોત થયું હતું, જેને લીધે પ્રાણી કલ્યાણ વિભાગ દ્વારા ચિંતા વ્યક્ત કરીને એક નવું સંકટ આવવાની આગાહી કરવામાં આવી છે. આ દરેક મૃત મરઘીઓના સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

નાગપુરમાં આવેલા સરકારી પોલ્ટ્રીફાર્મમાં બર્ડ-ફ્લૂને લીધે આ મરઘીઓનું મોત થયું હોવાનો ખુલાસો લેબ ટેસ્ટમાં થયો હતો, જેથી આ ફાર્મમાં રહેલી દરેક મરઘીઓ સાથે ઈંડાને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.

એક અધિકારીએ કહ્યું હતું કે જિલ્લામાં બર્ડ-ફ્લૂની વાત મળતા દરેક આસપાસના પોલ્ટ્રીફાર્મથી પણ મરઘીઓનાં સેમ્પલને પુણે અને ભોપાલની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ટેસ્ટના પરિણામ આવ્યા બાદ બર્ડ-ફ્લૂ ફેલાયેલા પોલ્ટ્રીફાર્મના એકથી દસ કિલોમીટરના ક્ષેત્રને સરકારની નજર હેઠળ રાખવામાં આવશે.

પુણે અને ભોપાલની લેબમાં મરઘીઓને સૅમ્પલથી જાણવા મળ્યું હતું કે આ મરઘીઓનું મોત બર્ડ-ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા આ વાઇરસથી થયું હતું. આ રિપોર્ટ બાદ સરકારી પોલ્ટ્રીફાર્મમાં રહેલી 8501 મરઘીની સાથે 16,000 કરતાં વધુ ઇંડાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા અને નાગપુર જિલ્લામાં દરેક પશુપાલનના ઉદ્યોગ પર નજર રાખવામાં આવી રહી છે.

મરઘીઓના અચાનક થતાં મોતને લીધે નાગપુરનું જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું છે, આ સરકારી પોલ્ટ્રીફાર્મના એક કિલોમીટરની અંદર આવેલા એક ફાર્મમાં પણ 260 મરઘીનાં મોત થતાં જિલ્લામાં દરેક પશુપાલન વ્યવસાયકોને મરઘીઓ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…