આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના ચાર નેતાઓ શરદ પવાર સાથે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ :
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે. એનસીપીના પિંપરી-ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે.

પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથ એનસીપી (એસપી)માં જોડાય તેવી શક્યતા છે. એનસીપીના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવ્હાણે, પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહાયુતિમાં ભોસરી વિધાનસભાની બેઠક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ગવ્હાણેએ રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢમાં જીત મળી હતી, મહા વિકાસ આઘાડી (એમવીએ)એ 48માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને આંચકો આપ્યો હતો. અજિત પવારની એનસીપીને માત્ર એક જ બેઠક મળી હતી જ્યારે શરદ પવારના જૂથને આઠ બેઠકો મળી હતી.

આ પણ વાંચો: Assembly Elections: વિધાનસભાની ચૂંટણી લડવા અજિત પવારનો માસ્ટરપ્લાન જાણો?

અજિત પવાર કેમ્પના કેટલાક નેતાઓ શરદ પવાર કેમ્પમાં પાછા જવા આતુર છે તેવી ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. ખુદ શરદ પવારે કેટલાક વિધાનસભ્યો પાર્ટીના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો તે બધાની વચ્ચે આ રાજીનામા આવ્યાં છે.

ભુજબળ પણ શરદ પવાર સાથે હાથ મિલાવી શકે છે એવી અટકળો પણ ચાલી રહી છે. ગયા મહિને મહાવિકાસ આઘાડીના સાથી દળ શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા ભુજબળને મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ભુજબળ એ વાતથી નારાજ હતા કે અજિત પવારે બારામતી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુળે સામે હારનારા તેમનાં પત્ની સુનેત્રાને પાર્ટીના ક્વોટાની રાજ્યસભાની બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે પ્રભાવશાળી ઓબીસી નેતા ભુજબળ પોતે રાજ્યસભાની બેઠક અને કેન્દ્રીય પ્રધાનપદું મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?