આમચી મુંબઈટોપ ન્યૂઝ

NCP: ‘જો હું વરિષ્ઠ નેતાનો દીકરો હોત તો પાર્ટી પર મારો કંટ્રોલ હોત’ અજિત પવારે ફરી શરદ પવાર નિશાન સાધ્યું

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ભાગલા પડ્યા બાદથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમના કાકા શરદ પવાર પર આવારનવાર આક્ષેપો કરતા રહે છે. ગઈ કાલે શુક્રવારે આડકતરી રીતે શરદ પવારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જો તેઓ ‘વરિષ્ઠ’ નેતાના પુત્ર હોત, તો તેઓ સરળતાથી NCPના અધ્યક્ષ બની શક્યા હોત.
અજીત પવારના નિવેદન પર શરદ પવારના વફાદાર ગણાતા પૂર્વ રાજ્ય પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે અજિત જો શરદ પવારના ભત્રીજા ન હોત તો મહારાષ્ટ્રના રાજકારણમાં આટલી ઝડપથી આગળ પણ ન શક્યા હોત.


અજિત પવાર પર શરદ પવાર દ્વારા સ્થાપિત પાર્ટીની ‘ચોરી’ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને તેની પુષ્ટિ કરી છે કે અજિત જૂથ જ વાસ્તવિક NCP છે. શરદ પવારનું નામ લીધા વિના, અજીત પવારે કહ્યું કે, “જો હું કોઈ વરિષ્ઠ નેતાના પરિવારમાં જન્મ્યો હોત, તો હું સ્વાભાવિક રીતે પાર્ટી અધ્યક્ષ બન્યો હોત, બલ્કે પાર્ટી મારા નિયંત્રણમાં આવી ગઈ હોત. પણ, મારો જન્મ તેમના ભાઈના ઘરે થયો.”


અજિતે કહ્યું કે આખો પરિવાર તેમની વિરુદ્ધ છે પરંતુ પાર્ટીના કાર્યકરો તેમની સાથે છે. તેમણે કહ્યું, “અમને નિશાન બનાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે અમે આ નિર્ણય (ભાજપ સાથે હાથ મિલાવવાનો) માત્ર અમારી સામે થઇ રહેલી તપાસ રોકવા માટે લીધો છે. હું પૂછવા માંગુ છું કે શું અમારી સાથે છે તે દરેક તપાસનો સામનો કરી રહ્યા છે?” અજીત પવારે કહ્યું, “જ્યારે કોઈ ક્યારેય પ્રધાન જ બન્યા નથી, તો તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો કેવી રીતે લગાવવામાં આવશે?…મારી પાસે રાજ્યની જવાબદારી હતી. જેઓ કામ કરે છે તેમના પર આરોપ લાગે જ છે. જેઓ કામ નથી કરતા તેમને ચોખ્ખા રહેવાની ખાતરી છે.”

ઉલ્લેખનીય છે કે શરદ પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ અત્યાર સુધી ક્યારેય મંત્રી પદ સંભાળ્યું નથી. અજિત પવારે કહ્યું કે તે બારામતીમાંથી એવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે જેણે અગાઉ ક્યારેય ચૂંટણી લડી ન હોય પરંતુ તે વ્યક્તિ પાસે પૂરતો અનુભવ ધરાવતા સમર્થકો હશે.


શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે સંકળાયેલા વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડેએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, “જો અજિત પવાર શરદ પવારના ભત્રીજા ન હોત, તો તેમને તેમની રાજકીય કારકિર્દીમાં આટલી વહેલી તકો ન મળી હોત. અજિત પવાર 1991માં સાંસદ, 1993માં વિધાનસભ્ય અને પછી (રાજ્ય) પ્રધાન બન્યા.”


તેમણે કહ્યું, ”1999થી 2014 સુધી અજિત પવારે તમામ મહત્વના વિભાગો સંભાળ્યા હતા. અજિતના પગલાંથી પાર્ટીની છબી ખરાબ થઈ પરંતુ શરદ પવારે તેમની અવગણના કરી કારણ કે તેઓ અજીત સાથે જોડાયેલા હતા.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…