આમચી મુંબઈ

મુંબઈમાં ફરી હવાની ગુણવત્તા કથળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં સોમવારથી વાતાવરણમાં રહેલા ભેજ અને ધુમ્મસને કારણે હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. મંગળવારે સતત બીજા દિવસે પણ મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ નબળો રહ્યો હતો. બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં હવાની ગુણવત્તા નબળી રહીને એક્યુઆઈ ૨૦૧ નોંધાયો હતો.

મુંબઈમાં બે-ત્રણ દિવસથી સવારના ધુમ્મસનું પ્રમાણ વધેલુ જણાયું હતું. બુધવાર સુધી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ રહેશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે, તેને કારણે મુંબઈની હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. સોમવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૯૦ જેટલો ઊંચો રહ્યો હતો. જોકે મંગળવારે તેમાં થોડો સુધારો જણાયો હતો. સવારના એક્યુઆઈ ૧૩૭ નોંધાયા બાદ સાંજના તેમાં હજી ઘટાડો થઈને એક્યુઆઈ ૧૩૧ નોંધાયો હતો.

હાલ મુંબઈના વાતાવરણાં ધુમ્મસની સાથે જ ભેજ પણ છે. પવનો પણ ધીમી ગતિએ ફૂંકાઈ રહ્યા છે, તેની સવારના સમયમાં વાતાવરણાં ધૂળના કણો વધુ માત્રામાં રહેતા હોય છે. તેથી હવાની ગુણવત્તાને અસર થઈ રહી હોવાનું હવામાન ખાતાનું કહેવું છે.

સવારના સમયે બીકેસીમાં એક્યુઆઈ ૨૧૧ નોંધાયો હતો. તો મઝગાંવમાં ૧૩૭, સાયનમાં ૧૨૦, વરલીમાં ૧૧૫, બોરીવલીમાં ૧૧૯ રહ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…